દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ઘણા લોકો આત્મહત્યા કરે છે. તમે માણસોની આત્મહત્યા વિશે તો ઘણું સાંભળ્યું જ હશે, પરંતુ જો કોઈ તમને કહે કે આ દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં પક્ષીઓ આવીને આત્મહત્યા કરે છે, તો શું તમે વિશ્વાસ કરશો?
આવી જ એક જગ્યા ભારતમાં છે, જે વિવિધતાઓથી ભરેલી છે. આસામના બોરેલ પહાડીઓમાં આવેલું આ અનોખું ગામ બર્ડ સુસાઈડ પોઈન્ટ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે પક્ષીઓ અહીં આવીને આત્મહત્યા કરે છે.
આસામના જટીંગા નામના આ ગામમાં દર વર્ષે સેંકડો પક્ષીઓ આત્મહત્યા કરે છે. જેમાં સ્થાનિક પક્ષીઓ ઉપરાંત બહારથી આવેલા યાયાવર પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, અહીંના મોટાભાગના પક્ષીઓ સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે આત્મહત્યા કરે છે. આ પક્ષીઓ અહીં મૃત હાલતમાં પડેલા જોવા મળે છે.
આ અજીબોગરીબ ઘટના પાછળનું એક કારણ એ પણ જણાવવામાં આવે છે કે ઉડવાની વધુ ઝડપને કારણે પક્ષીઓ ઝાડ અથવા ભારે વસ્તુઓ સાથે અથડાય છે અને તેના કારણે તેઓ મૃત્યુ પામે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મોટાભાગના પક્ષીઓ સાંજે 7 થી 10 વાગ્યાની વચ્ચે મૃત્યુ પામે છે. આ ગામ કુદરતી કારણોસર લગભગ નવ મહિના સુધી રાજ્યના અન્ય શહેરોથી કપાયેલું રહે છે. મોડી રાત્રે ગામમાં જવાની મનાઈ છે.
પક્ષી નિષ્ણાતોના મતે આ ઉચ્ચ ચુંબકીય શક્તિના કારણે પક્ષીઓ ઈમારતો કે વૃક્ષો સાથે અથડાય છે. અહીં પવન પણ તેજ ગતિએ ફૂંકાય છે. જેના કારણે પક્ષીઓ ઈલેક્ટ્રીક વાયરની નજીક ઉડી જાય છે અને તેની સાથે અથડાઈને મૃત્યુ પામે છે.