સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર સેવાઓ પ્રભાવિત થઈ છે. સુત્રાપાડા, તાલાલા, માળીયા હાટીના, માંગરોળ, કેશોદ અને ધોરાજી તરફ જતા એસ.ટી. 264 બસની ટ્રીપો રદ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસટી બસની 264 જેટલી ટ્રીપો કેન્સલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોને જોડતી બસો રદ કરવામાં આવી છે.