ગાંધીનગર: દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા ‘વીરોને શ્રદ્ધાંજલિ આપવા માટે 09 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘મારી માટી મારો દેશ’ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજ સુધીમાં 13,69,201 થી વધુ દેશભક્તોએ આ અભિયાનમાં ભાગ લીધો હતો અને જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અભિયાન અંતર્ગત પાંચ થીમ પર આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચોથા દિવસે રાજ્યના 1074 ગામડાઓમાંથી લગભગ 1,31,147 દેશવાસીઓએ મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં ભાગ લીધો હતો.
- ચાર દિવસમાં 11 હજારથી વધુ ગ્રામ પંચાયતો જોડાઈ
- દેશભક્તિ દર્શાવતી પંચપ્રાણની 8,84,626 સેલ્ફી અપલોડ કરવામાં આવી છે
આ અભિયાનના ચાર દિવસ દરમિયાન 11,910 ગ્રામ પંચાયતોમાં ગ્રામ્ય સ્તરે પાંચ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 11,379 શિલાલેખ સ્થાપિત કરવામાં આવ્યા છે. જ્યારે વસુધાવંદનમાં 8,85,855 રોપાઓ વાવવામાં આવ્યા છે. દેશની આઝાદી માટે 29,374 શહીદો અથવા તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશભક્તિ દર્શાવતી પંચપ્રાણની 8,84,626 સેલ્ફી અપલોડ કરવામાં આવી છે.