(GNS),તા.26
અમદાવાદ,
ગુજરાતના પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે કોઇપણ યાત્રાધામ સુધી પહોંચવા માટે અમદાવાદથી હેલિકોપ્ટર સેવા શરૂ થશે. એટલે કે જો તમે અમદાવાદથી કોઈપણ પર્યટન સ્થળ પર પહોંચવા માંગતા હોવ તો તમને હેલિકોપ્ટર મળશે. આ સેવા અમદાવાદ સ્થિત એરોટ્રાન્સથી શરૂ કરવામાં આવશે. આ સેવા 27મી ડિસેમ્બરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવશે. આગામી 27મી ડિસેમ્બરથી રણોત્સવનો હવાઈ નજારો જોવા મળશે. આ મજા હેલિકોપ્ટર દ્વારા માણી શકાય છે. આ માટે બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. તમને અમદાવાદથી ધોરડો, અંબાજી, અમદાવાદથી શ્રીનાથજી, અમદાવાદથી પાલિતાણા, અમદાવાદથી સલંગપુર, અમદાવાદથી સોમનાથ, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદથી વડનગર અને અમદાવાદથી નડાબેટ સુધી હેલિકોપ્ટર સેવા મળશે.