(GNS),તા.29
ગાંધીનગર,
વિધાનસભા ગૃહમાં એક સભ્ય દ્વારા સરકારી ઈજનેરી કોલેજો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં વિવિધ સ્થળોએ 16 સરકારી ઈજનેરી કોલેજો કાર્યરત છે.
વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓ માટે, સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ગ-1માં શિક્ષકોની 218, વર્ગ-2માં 1274, વર્ગ-3માં 175 અને વર્ગ-4માં 59 જગ્યાઓ ભરવામાં આવી છે. રાજ્ય જ્યારે બાકીની ખાલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવાની યોજના છે, એમ તેમણે ઉમેર્યું હતું.