અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરમાં કુલ 1309 સ્ટેશનનો પુનઃવિકાસ થવાનો છે, જેમાંથી રાજકોટ ડિવિઝનના બે સ્ટેશનો સહિત 508 રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યો હતો. આજે ,
રાજકોટ રેલ્વે વિભાગના ભક્તિનગર રેલ્વે સ્ટેશન અને સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશનનો આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનો પુનઃવિકાસ કરવામાં આવશે. જેમાં ભક્તિનગર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે 3.26.81 કરોડ અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન માટે 3.35.13 કરોડ ફાળવવામાં આવ્યા છે.
રાજકોટના ભક્તિનગર રેલ્વે સ્ટેશન ખાતે શિલાન્યાસ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર પ્રદીપ ડવ અને ત્રણ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ રેલવે સ્ટેશનો આધુનિક પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. આ ટ્રેક્રીક ફીચર સાથે, ઇન્ટર મોડલ રજીસ્ટર્ડ અને સારી રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે. સ્ટેશનની ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે. આ રેલ્વે સ્ટેશન જે તે શહેર કે સ્થળની સુંદરતા દર્શાવે છે. આ રેલવે સ્ટેશનોને સિટી સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે.