બે સમુદાયો વચ્ચે પથ્થરમારો થયો હતો. જૂથ અથડામણમાં બે લોકો ઘાયલ
વડોદરાના સાવલી તાલુકાના ગોથરા ગામમાં બે કોમ વચ્ચે સામસામી અથડામણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એન્ને કોમ વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. જૂથ અથડામણમાં બે લોકો ઘાયલ થયા હતા. આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે ગણપતિ સ્થાપન માટે મૂર્તિ લઈ જવામાં આવી રહી હતી. બંને ઇજાગ્રસ્તોને સાવલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. હાલ સમગ્ર ગામમાં શાંતિ છે.
આગામી 19મીએ ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિની સ્થાપના માટે સર્વત્ર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન વડોદરાના સાવલીમાં એક ઘટના પ્રકાશમાં આવી છે. બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં બે લોકો ઘાયલ પણ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે વડોદરામાં બનેલી આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે. જવાબદારોને પકડીને કાર્યવાહી કરવામાં આવશે.