(GNS), તા.11
કચ્છ,
મૌલાના સલમાન અઝહરી હવે કચ્છથી અરવલ્લી પહોંચી શકે છે. ભડકાઉ ભાષણ મામલે મોડાસા શહેર પોલીસે મૌલામા મુફ્તી સલમાન અઝહરી સામે ગુનો નોંધ્યો હતો. ગયા શુક્રવારે મૌલાના અઝહરી સહિત ત્રણ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં મૌલાના અઝહરી હાજર રહેલા ધાર્મિક કાર્યક્રમના આયોજક ઈશાક ઘોરીની ધરપકડ કરવામાં આવી હતી. જેમને કોર્ટમાં રજૂ કરવા રિમાન્ડ પર સોંપવામાં આવ્યો હતો. દરમિયાન કચ્છ પોલીસ હાલ મૌલાના અઝહરી સામે તપાસ કરી રહી છે. જેમાં ભચાઉમાં આરોપી મૌલાના અઝરાનીના રિમાન્ડ રવિવારે પૂર્ણ થઈ રહ્યા છે. જેના કારણે તેને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. બીજી તરફ અરવલ્લી પોલીસ પણ ભચાઉ પહોંચી ગઈ છે, જ્યાં મોડાસા પોલીસ આરોપી મૌલાના અઝહરીને પકડવા કાર્યવાહી કરશે. ભચાઉમાં આ અંગે કાર્યવાહી કરવામાં આવશે, જેના માટે હવે તમામની નજર કોર્ટ પર ટકેલી છે. કોર્ટના આદેશ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેઓને ટ્રાન્સફર વોરંટથી મોડાસા લાવી શકાય છે. જ્યાં મૌલાના અઝહરને મોડાસા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરી શકાશે.