(GNS),17
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. સુરતમાં અમૃતમ સંસ્થા દ્વારા મધર મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 150 જેટલી ધાત્રી માતાઓએ દૂધનું દાન કર્યું હતું. જરૂરિયાતમંદ નવજાત બાળકોને પૌષ્ટિક દૂધ આપવામાં આવશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે દેશભરમાં વિવિધ જનસેવાના કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરત શહેરના સિટી લાઈટ સ્થિત અગ્રેસર ભવન ખાતે અમૃતમ સંસ્થા દ્વારા આયોજિત દૂધ દાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધાત્રી માતાઓએ દૂધ દાન કરી સેવા કરી હતી. 2008 થી અમૃતમ સંસ્થા સ્મીયર હોસ્પિટલના સહયોગથી આ માતા દૂધ દાન શિબિરનું આયોજન કરે છે.
અત્યાર સુધીમાં 8,21,550 મિલી દૂધ એકત્ર થયું છે. અને 1,50,000 નવજાત જરૂરિયાતમંદ બાળકોને આ દૂધ પહોંચાડવા માટે બોર્ડ આગળ આવ્યું છે. નવજાત બાળકોના સર્વાંગી વિકાસ માટે આ પૌષ્ટિક દૂધ ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાનના જન્મદિવસે 150 જેટલી સ્તનપાન કરાવતી માતાઓએ દૂધનું દાન કર્યું હતું. આ દૂધ જરૂરિયાતમંદ નવજાત બાળકોને વિનામૂલ્યે આપવામાં આવશે.