હારીજ તાલુકામાં વાવાઝોડા સાથેના વરસાદ બાદ ખેતરોમાં વાવણી કરવામાં આવી છે.ખરીફ પાકની વાવણી શરૂ થયાના માત્ર 5 દિવસમાં જ 5700 હેક્ટરમાં કઠોળ, બાજરી અને ઘાસચારાની વાવણી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં હારીજ તાલુકામાં મેઘરાજા મહેર થતા ખેડૂતોએ ખરીફ પાકની વાવણી શરૂ કરી દીધી છે. ખેતીવાડી વિસ્તરણ અધિકારી ડી.એસ. વાઘેલાએ જણાવ્યું કે માત્ર 5 દિવસમાં 3 હજાર હેક્ટર ડાંગર, 2 હજાર હેક્ટર ઘાસચારો જુવાર, 140 હેક્ટર ગવાર, 50 હેક્ટર બાજરીનું વાવેતર થયું છે. ગત વર્ષે 2700 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું હતું. વરસાદના કારણે ખરીફ પાકને નુકસાન થયું છે, આ વર્ષે પ્રથમ તબક્કામાં ગત વર્ષ કરતાં 300 હેક્ટર વધુ વાવેતર થયું છે અને વરસાદને કારણે વધુ વાવણી થવાની સંભાવના છે.