૮ જૂન: વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ-‘જાગૃતિ એ જ શ્રેષ્ઠ બચાવ’,વહેલું નિદાન અને અદ્યતન સારવારથી આ બીમારી સામે જીતી શકાય છે: આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
લોકોમાં ગંભીર બીમારીઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને વહેલા નિદાન માટે પ્રેરિત કરવાના હેતુથી દર વર્ષે ૮ જૂનને વિશ્વભરમાં ‘વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વિશેષ અવસરે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને બ્રેઈન ટ્યુમરના લક્ષણો પ્રત્યે સતર્ક અને જાગૃત રહેવા ખાસ અપીલ કરી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે,બ્રેઈન ટ્યુમર એ મગજના અસામાન્ય કોષોની અનિયંત્રિત વૃદ્ધિ છે અને તે કોઈપણ ઉંમરે થઈ શકે છે. જોકે,અદ્યતન તબીબી વિજ્ઞાનના કારણે હવે બ્રેઇન ટ્યુમરની સફળ સારવાર અને સંપૂર્ણ રિકવરી શક્ય બની છે. આથી,સમયસર જાગૃતિ,વહેલું નિદાન અને ત્વરિત સારવાર જ દર્દીનો જીવ બચાવી શકે છે.
અમદાવાદની ‘GCRI’હોસ્પિટલની સુવિધાઓ અંગે વાત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે,અહીં કેન્સરના દર્દીઓને એક જ છત નીચે વૈશ્વિક સ્તરનું નિદાન અને અદ્યતન સારવાર મળી રહે છે,પરિણામે ગુજરાતના દર્દીઓએ રાજ્ય બહાર જવાની બિલકુલ જરૂર નથી.
GCRIના નિયામક ડૉ. શશાંક પંડ્યાએ વિગતો આપતા જણાવ્યું કે,સંસ્થા ખાતે છેલ્લા પાંચ વર્ષમાં બ્રેઈન ટ્યુમરના દર્દીઓને વૈશ્વિક સ્તરની અદ્યતન સારવાર આપવામાં આવી છે. હોસ્પિટલના રેકોર્ડ મુજબ,વર્ષ ૨૦૨૧ માં ૨૭૯,૨૦૨૨ માં ૨૭૫,૨૦૨૩ માં ૨૭૩,૨૦૨૪ માં ૨૪૮ અને વર્ષ ૨૦૨૫ માં ૨૫૨ કેસો નોંધીને દર્દીઓને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
નિયામકશ્રીએ હોસ્પિટલની વૈશ્વિક સ્તરની સુવિધાઓની વિગતો આપતા જણાવ્યું કે, GCRIખાતે દર્દીઓ અદ્યતન રેડિયોથેરાપી સુવિધાઓ‘સાયબરનાઇફ‘ CyberKnifeજેવી વિશ્વસ્તરીય અને અત્યાધુનિક રેડિયોસર્જરીStereotactic Radiosurgeryતેમજ રેડિયોથેરાપી ટેક્નોલોજી ઉપલબ્ધ છે. ખાસ નોંધનીય છે કેCyberKnifeએ કોઈ સર્જિકલ (વાઢકાપ કરવાનું) મશીન નથી,પરંતુ અત્યંત ચોકસાઈપૂર્વક રેડિયેશન આપતી એક અદ્યતન સારવાર પદ્ધતિ છે. તે બ્રેઈન ટ્યુમર સહિત વિવિધ ન્યુરોલોજિકલ અને ઓન્કોલોજીકલ (કેન્સર સંબંધિત) રોગોની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. આ ટેક્નોલોજીની મદદથી આસપાસના સ્વસ્થ મગજના ભાગને ન્યૂનતમ નુકસાન પહોંચાડીને અત્યંત અસરકારક સારવાર આપી શકાય છે.
*અદ્યતન 3T MRI,હાઈ-રિઝોલ્યુશનCT Scanતેમજ પોર્ટેબલCT Scanની સુવિધા,જેના દ્વારા ગંભીર દર્દીઓને ખસેડ્યા વગરICUમાં જ ઝડપી અને ચોક્કસ નિદાન શક્ય બને છે.*
*અત્યાધુનિક ઓપરેશન સુવિધાઓ: જટિલ અને સુરક્ષિત સર્જરી માટે એક્ઝોસ્કોપ,નેવિગેશન સિસ્ટમ અનેCUSAટેકનોલોજી.*
*જટિલ રોગોની સારવાર: મગજમાં ઊંડે આવેલાAVM –લોહીની નળીઓનું ગૂંચળું,કેવર્નસ હેમેન્જીયોમા અને હિમેન્જીયોબ્લાસ્ટોમાની અત્યંત ચોકસાઈપૂર્વક સારવાર.*
*દર્દી ઝડપથી સ્વસ્થ થઈ પોતાના દૈનિક કાર્યો કરી શકે તે માટે ફિઝિયોથેરાપીની વિશેષ સુવિધા.*
નિયામક શ્રીએ વધુમાં કહ્યું હતું કે,ગુજરાતના દર્દીઓને આવી અદ્યતન સારવાર મેળવવા માટે રાજ્ય બહાર જવાની બિલકુલ જરૂર નથી.GCRIખાતેCyberKnifeસહિતની તમામ વિશ્વસ્તરીય સારવાર સુવિધાઓ ઉપલબ્ધ છે,અને પાત્રતા ધરાવતા દર્દીઓને‘PMJAY’ –આયુષ્માન ભારત યોજના હેઠળ આ સારવાર તદ્દન નિઃશુલ્ક મળી શકે છે.

