ગુજરાતમાં ‘વિકાસ ભી,વિરાસત ભી’નો વિચાર થયો સાકાર-રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં16લાખથી વધુ મુલાકાતીઓએ નિહાળ્યા મ્યુઝિયમ
ડિજિટલ ટેક્નોલોજીના સમન્વયથી મ્યુઝિયમ માત્ર કલાકૃતિઓના સંગ્રહસ્થાનની સાથે જ્ઞાન અને સંસ્કૃતિના જીવંત કેન્દ્રો બન્યા: પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડો. પંકજ શર્મા
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કુલ ૧૬ લાખથી વધુ નાગરીકોએ વિવિધ મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલયની મુલાકાત લીધી છે તેમ ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ કાર્યરત પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડો. પંકજ શર્માએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે,બદલાતા સમય સાથે ડિજિટલ ટેક્નોલોજીના સમન્વયથી મ્યુઝિયમ માત્ર કલાકૃતિઓના સંગ્રહસ્થાન ન રહેતા જ્ઞાન અને સંસ્કૃતિના જીવંત કેન્દ્રો બન્યા છે.
છેલ્લા ૧૨ વર્ષમાં ગુજરાતમાં અનેક મ્યુઝિયમ બન્યા છે. જેમાં કચ્છના ભૂકંપ સામે ઝીંક ઝીલનારા કચ્છીઓની ખમીરને દર્શાવતું સ્મૃતિવન,ગાંધી વિચારના વારસાને જીવંત કરતું દાંડી કુટીર અને વડાપ્રધાનશ્રીના વતન એવા વડનગરના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા વડનગર એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમનો સમાવેશ થાય છે.
સમયને અનુરૂપ મ્યુઝિયમોનું સ્વરૂપ બદલાયું છે. આજે ગુજરાતના મ્યુઝિયમો માત્ર કલાકૃતિ ના સંગ્રહ સ્થાનને બદલે ઇન્ટરેક્ટિવ અને ડિજિટલ લર્નિંગના વૈશ્વિક કેન્દ્રો બન્યા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના ૧૨ વર્ષ દરમિયાન દેશમાં ‘વિકાસ ભી,વિરાસત ભી’ ના મંત્રને ગુજરાત સરકારે ચરિતાર્થ કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાતે આર્થિક વિકાસની સાથે-સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને જાળવણી કરી નવી પેઢીને તેના પુરાતન વારસાનો પરિચય કરાવ્યો છે.
પરંપરાથી ટેક્નોલોજી સુધી સમય સાથે બદલાયું મ્યુઝિયમનું સ્વરૂપ
ભૂતકાળમાં મ્યુઝિયમ એટલે માત્ર કાચની પેટીઓમાં રાખેલી જૂની મૂર્તિઓ કે સિક્કાઓ જોવાનું સ્થળ ગણાતું હતું. પરંતુ છેલ્લા ૧૨ વર્ષમાં ગુજરાત સરકારે આ વ્યાખ્યામાં પરિવર્તન આણ્યું છે. આજે રાજ્યના સંગ્રહાલયોમાં યુવા પેઢી પોતાની વિરાસતને માત્ર જુએ નહીં પરંતુ અનુભવી પણ શકે તે હેતુથીAR/VR (ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી), 3Dપ્રોજેક્શન મેપિંગ,હોલોગ્રામ અને ઇન્ટરેક્ટિવ ટચસ્ક્રીન જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા ૧૨ વર્ષમાં ગુજરાતના વારસાને વૈશ્વિક સ્તરે મૂકતા મ્યુઝિયમ
સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને મ્યુઝિયમ (ભુજ):* ૨૦૦૧ના ભૂકંપના દિવંગતોની સ્મૃતિમાં બનેલું આ મ્યુઝિયમ ભારતનું સૌથી અદ્યતન ટેક્નોલોજી ધરાવતું મ્યુઝિયમ છે,જ્યાં મુલાકાતીઓ ભૂકંપનો જીવંત અનુભવ (સિમ્યુલેટર દ્વારા) કરી શકે છે.
સ્મૃતિવન માત્ર સંગ્રહાલય નથી,એક જીવંત અનુભૂતિ છે

