ગુજરાતથી મહારાષ્ટ્ર જતો પરિવાર કાળનો કોળિયો બન્યો -કારમાં સવાર ગુજરાતી પરિવારના અમલનેર ખાતે એક સગાઈ સમારોહમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા
મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રના અમલનેર-ધુલે રોડ પર 9મી જૂન, 2026 સવારે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. હોટલ વૃંદાવન અને મંગરૂલ ગામ નજીક એસટી બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ગુજરાતી પરિવારના ૪ સભ્યો અને એક બાઈકચાલક સહિત ૬ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. સગાઈના મંગલ પ્રસંગે જઈ રહેલા પરિવારને અકસ્માત નડતા ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી અનુસાર, એસટી બસ અને એક બાઈક અમલનેરથી ધુલે તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ધુલે તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કારે એસટી બસ અને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કાર અને બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માત ધરનગાંવના રહેવાસી બાઈક પર સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે કારમાં સવાર નંદલાલ ગોપાલ મહાજન, સુરેશ વિક્રમ મહાજન, અનિતા સુરેશ મહાજન અને નિર્મળા નંદલાલ મહાજનના ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે, કારમાં સવાર ગુજરાતી પરિવારના અમલનેર ખાતે એક સગાઈ સમારોહમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા.
આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત બાદ કારના કાટમાળમાં એક માસૂમ બાળક ફસાઈ ગયું હતું, જેને સુરક્ષિત બહાર કાઢી લીધું હતું. આ અકસ્માતમાં એસટી બસમાં સવાર દીપક દિલીપ પાટીલ નામના મુસાફર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને એમ્બ્યુલન્સ મારફતે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

