પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મીડિયા સંવાદ યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પત્રકારો સાથે સંવાદ કરી છેલ્લા ૧૨ વર્ષમાં ‘મોદી સરકાર’ માં થયેલ સર્વસ્પર્શી, સર્વસમાવેશી અને રાષ્ટ્રહિતની કામગીરી અંગે સંવાદ કર્યો
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ ઐતિહાસિક અવસર પર ભારતીય જનતા પાર્ટીના ‘૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ‘ અભિયાન અંતર્ગત આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં મીડિયા સંવાદ યોજાયો હતો.
આ પૂર્વે ત્રણેય મહાનુભાવો એ પ્રદેશ ભાજપા કાર્યાલયના પરિસરમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષની ઉપલબ્ધિઓ દર્શાવતી પ્રદર્શની તેમજ કેન્દ્ર સરકારના મુખ્ય કાર્યોને રજુ કરતી સુંદર રંગોળી નિહાળી હતી.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મીડિયા સંવાદ અંતર્ગત પત્રકારશ્રીઓને સંબોધતા જણાવ્યું હતું કે, કોઈપણ દેશના ઈતિહાસમાં એવો સમય જરૂર આવે છે, જ્યારે આખો દેશ નવી તાકાત અને નવા સંકલ્પો સાથે પ્રગતિના રસ્તે આગળ વધે છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૨૦૧૪થી દેશમાં ‘વિકાસની રાજનીતિ’નો નવો ઈતિહાસ સર્જાયો છે.

ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા તરીકે સર્વસ્વીકૃત બન્યા છે. વિશ્વના આશરે ૩૨ જેટલા દેશોએ પોતાના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. સેચ્યુરેશન એપ્રોચ દ્વારા ગરીબ, મહિલા, આદિજાતિ, અનુસૂચિત જાતિ, યુવા અને મધ્યમ વર્ગના સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. વંચિત, ગરીબ અને છેવાડાના માનવી તેમજ આદિજાતિઓને વિકાસની મુખ્યધારામાં લાવવાનો સેવાયજ્ઞ આદર્યો છે અને ‘ ભૂતકાળમાં જેમને કોઈ પૂછતું નહિં, તેમને શ્રી મોદીજીએ પૂજ્યા છે.’ જનતાના અપાર સમર્થન અને ભરોસાથી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નો મંત્ર ચરિતાર્થ થયો છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કૃષિ ક્ષેત્રે ‘બેક ટુ બેઝીક’ના મંત્ર સાથે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન યોજનાથી ૧૮ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. ‘જ્ઞાન’ શક્તિના મહત્વના પિલ્લર એવા અન્નદાતાના ઉત્થાન માટે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના દ્વારા રૂ. ૪ લાખ કરોડથી વધુની સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા થઈ છે, કુદરતી આફતોમાં ઉદારત્તમ રાહત પેકેજ આપવામાં આવ્યા છે અને છેલ્લા ૧૨ વર્ષમાં સ્જીઁ અંતર્ગત રૂ. ૨૬ લાખ કરોડથી વધુના મૂલ્યના પાકોની ખરીદી કરીને સરકારે ધરતીપુત્રોના હિતને સદાય અગ્રતા આપી છે. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી વર્ષની દેશભરમાં ભવ્ય ઉજવણી થઈ છે. કેન્દ્રીય આદિવાસી કલ્યાણ બજેટમાં ૨૪૩%નો માતબર વધારો કરાયો છે.

તેમણે કહ્યું કે, છેલ્લા ૧૨ વર્ષમાં દેશની ય્ડ્ઢઁ ૨.૦૨ ટ્રિલિયન ડોલરથી વધીને ૪.૧૫ ટ્રિલિયન ડોલર થઈ છે અને પર કેપિટા ઈન્કમ (માથાદીઠ આવક) રૂ. ૮૬,૬૭૮થી વધીને રૂ. ૨,૧૨,૯૮૧ થતાં મધ્યમ વર્ગનું સામાજિક-આર્થિક સશક્તિકરણ અને ઇઝ ઓફ લિવિંગ વધ્યું છે.

