ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલને સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં રાજસ્થાન સામેની મુંબઈની છેલ્લી મેચ બાદ ગંભીર ગેસ્ટ્રોએન્ટેરિટિસના કારણે પુણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ કારણે તે વિજય હજારે ટ્રોફી 2025-26ના પહેલા રાઉન્ડમાં પણ ભાગ લઈ શક્યો ન હતો, હવે તેના વિશે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. તે ટૂંક સમયમાં વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમ સાથે જોડાઈ શકે છે. તે આગામી મેચોમાં ફરી એકવાર પૂર્વ કેપ્ટન રોહિત શર્મા સાથે ચાહકોનું મનોરંજન કરતો જોવા મળી શકે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, ભારતનો સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ 29 ડિસેમ્બરે વિજય હજારે ટ્રોફી માટે જયપુરમાં મુંબઈની ટીમ સાથે જોડાશે. જયસ્વાલ 29 ડિસેમ્બરે છત્તીસગઢ વિરુદ્ધ મુંબઈની વિજય હજારે ટ્રોફીની મેચ અને ત્યારપછીની મેચોમાં રમી શકે છે.
ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઓલરાઉન્ડર શિવમ દુબે પણ 6 અને 8 જાન્યુઆરીએ જયપુરમાં વિજય હજારે ટ્રોફીની લીગ-સ્ટેજ મેચોમાં મુંબઈ તરફથી રમશે.
જયસ્વાલ, સૂર્યા અને દુબે જેવા વરિષ્ઠ ખેલાડીઓના આગમનથી મુંબઈની ટીમને ઘણી તાકાત મળશે, જોકે વિજય હજારે ટ્રોફીમાં રોહિત શર્મા કેટલી મેચમાં ઉપલબ્ધ રહે છે તે જોવું રહ્યું.

