વિજય હજારે ટ્રોફી 2025-26નો ત્રીજો રાઉન્ડ આજે રમાશે. પ્રથમ બે રાઉન્ડમાં ચાહકોનું મનોરંજન કરનાર બે સ્ટાર ખેલાડીઓ – રોહિત શર્મા અને વિરાટ કોહલી – આજે રમતા જોવા મળશે નહીં. હા, કોહલી અને રોહિતને મેદાન પર રમતા જોઈને ચાહકો ચોક્કસપણે નિરાશ થશે, પરંતુ અમે તમારા માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે જોડાયેલી એક મોટી અપડેટ લઈને આવ્યા છીએ. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી 11 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે શરૂ થનારી ત્રણ મેચની ODI સીરીઝ પહેલા વિજય હજારેની બીજી મેચ રમશે. તેની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. હવે હિટમેન સીધો ઇન્ટરનેશનલ સ્ટેજ પર રમતા જોવા મળશે.
દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના એક વરિષ્ઠ અધિકારીએ ક્રિકબઝને જણાવ્યું કે 24 અને 26 ડિસેમ્બરે બેંગલુરુમાં દિલ્હી માટે પ્રથમ બે વિજય હજારે ટ્રોફી (VHT) મેચ રમનાર કોહલી 6 જાન્યુઆરીએ અલૂરના KSCA ગ્રાઉન્ડ પર રેલ્વે સામેની લીગ મેચ માટે પરત ફરશે. આ પછી તે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ વનડે મેચ માટે ભારતીય ટીમ સાથે જોડાશે. કોહલી તેની છેલ્લી વિજય હજારે મેચ 6 જાન્યુઆરીએ રમશે
કોહલીની જેમ, રોહિત પણ જયપુરમાં પ્રથમ બે VHT મેચોમાં મુંબઈ માટે રમ્યો હતો અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ પુષ્ટિ કરી છે કે આ સિઝન માટે તેની સ્થાનિક ફરજ પૂરી થઈ ગઈ છે. તેની આગામી અસાઇનમેન્ટ આગામી વનડે શ્રેણી હશે. એમસીએએ પણ પુષ્ટિ કરી છે કે યશસ્વી જયસ્વાલ, જે તાજેતરમાં ખરાબ તબિયતને કારણે બહાર છે, તે એક-બે દિવસમાં જયપુરમાં મુંબઈની ટીમ સાથે જોડાશે. 7 જાન્યુઆરીએ બરોડામાં એસેમ્બલ થનારી ODI ટીમમાં જોડાતા પહેલા તે કેટલીક મેચો રમશે તેવી અપેક્ષા છે. દરમિયાન, સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે ટૂંક સમયમાં મુંબઈની ટીમ સાથે જોડાશે.

