ક્રિકેટ રાંચીમાં શાનદાર અડધી સદી ફટકાર્યા બાદ રોહિત શર્મા રાયપુરમાં માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. હવે હિટમેન વિશાખાપટ્ટનમમાં રમાનારી દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડે મેચમાં તેની ભરપાઈ કરવા માંગશે. રોહિત શર્મા પાસે ODI ફોર્મેટમાં તેની સરેરાશ 50 સુધી વધારવાની સુવર્ણ તક છે. જો કે આ મોટો રેકોર્ડ પોતાના નામે કરવા માટે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિતને વિશાખાપટ્ટનમમાં ફરી 264 રનની ઈનિંગ રમવી પડશે.
રોહિત શર્મા પાસે એક મોટો રેકોર્ડ બનાવવાની તક છે
ભારતીય ટીમના સુપરસ્ટાર રોહિત શર્માએ અત્યાર સુધી ODI ફોર્મેટમાં 278 મેચ રમી છે. જેમાં તેણે 49.10ની શાનદાર એવરેજથી 11441 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન હિટમેનનો સ્ટ્રાઈક રેટ 92.79 રહ્યો છે. જ્યારે રોહિતના નામે આ ફોર્મેટમાં 33 સદી અને 60 અડધી સદી છે. હવે જો રોહિત શર્મા તેની એવરેજ 50 સુધી વધારવા માંગે છે તો જો તે નોટઆઉટ રહે છે તો તેણે 210 રનની ઇનિંગ રમવી પડશે. જ્યારે તેની વિકેટ પડી જાય તો તેને ઓછામાં ઓછા 260 રન બનાવવાની જરૂર છે. રોહિતે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના જૂના રંગમાં પરત ફરવું પડશે.
વિરાટ-ધોનીની ખાસ ક્લબમાં જોડાશે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર 2 જ ખેલાડી એવા છે જેમણે ODI ફોર્મેટમાં 50+ ની સરેરાશ સાથે 10 હજારથી વધુ રન બનાવ્યા છે. જેમાં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સામેલ છે. આવી સ્થિતિમાં જો રોહિત આ મોટું કારનામું કરશે તો તે આવું કરનાર વિશ્વનો ત્રીજો ખેલાડી બની જશે. ODI ફોર્મેટમાં જો કોઈ 210 કે 260 રન બનાવી શકે છે તો તે રોહિત શર્મા છે. રોહિતે ODI ફોર્મેટમાં 3 બેવડી સદી ફટકારી છે. આ ફોર્મેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 264 રન છે.

