ASCII જાહેરાત ઉદ્યોગની સ્વ-નિયમનકારી સંસ્થા ASCI એ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઝુંબેશ માટે તેની માર્ગદર્શિકા અપડેટ કરી છે. ASCI એ શૈક્ષણિક સંસ્થાઓને ઓછા માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને નિષ્ફળ અથવા નાપાસ તરીકે દર્શાવવા માટે કહ્યું છે.
માર્ગદર્શિકા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરે છે
એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ASCI)ના સેક્રેટરી જનરલ અને ચીફ એક્ઝિક્યુટિવ મનીષા કપૂરે જણાવ્યું હતું કે, “શિક્ષણમાં જબરજસ્ત દબાણ એ વાસ્તવિકતા છે. આ સમસ્યાને જાહેરાતમાં કાયમી બનાવવી જોઈએ નહીં. તેમજ આ દ્વારા વિદ્યાર્થીઓનું શોષણ થવુ જોઈએ નહી. પીટીઆઈ-ભાષાના અહેવાલ મુજબ, તેમણે કહ્યું કે ASCIએ આ ફેરફારો એક કન્સલ્ટિવ પ્રક્રિયા દ્વારા કર્યા છે. આ માર્ગદર્શિકા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
વિદ્યાર્થીઓને નિષ્ફળ તરીકે ચિહ્નિત ન કરવા જોઈએ
ASCI તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓ, કોચિંગ ક્લાસ અને એજ્યુકેશન ટેક્નોલોજી ફોરમ સહિતની શૈક્ષણિક સંસ્થાઓએ સુધારેલી માર્ગદર્શિકાને અનુસરવાની જરૂર પડશે. સંસ્થાએ સૂચન કર્યું છે કે શિક્ષણ ક્ષેત્રે જાહેરાતકર્તાઓએ વિદ્યાર્થીઓને તેમના છોકરી કે છોકરો હોવાના આધારે અથવા ઓછા માર્કસના આધારે નિષ્ફળતા તરીકે ચિહ્નિત ન કરવા જોઈએ. બોડીએ સૂચન કર્યું છે કે જાહેરાત ઝુંબેશમાં કોઈપણ પ્રકારની નિરાશા અથવા ડર ન હોવો જોઈએ.