દિલીપ પટેલ: Dogs are biting Modi’s Gujarat model मोदी के गुजरात मॉडल को कुत्ते काट रहे हैं 10 લાખ લોકોને કુતરાઓને કરડી ખાધા, 600 કરોડનું ખર્ચ ગુજરાતમાં શેરી અને માર્ગો પર રખડતા કૂતરાઓની સંખ્યામાં બેફામ વધારો થયો છે. તે હિંસક બની ગયા છે. માણસોને કરડવાની ઘટનાઓ બધી છે. ખર્ચ 3 વર્ષમાં 10 લાખ લોકોને કુતરા કરડેલા છે. એક કુતરું કરડે છે એટલે માણસની સારવાર પાછળ એકથી બે હજાર રૂપિયાનું સરેરાશ સરકાર અને પ્રજાને ખર્ચ થાય છે. તે હિસાબે રૂ. 100થી 200 કરોડનું ખર્ચ માણસને સારવાર અને વેક્સીનનું ખર્ચ થાય છે. તેની સાથે માણસનો સમય અને નોકરી ધંધા પર ન જઈ…
Author: gujarat
આરોગ્ય સુરક્ષા સંદર્ભના વિવિધ સૂત્રો સાથેની રાખડી બાંધવામાં આવીરક્ષાબંધન એટલે આપણું પવિત્ર પર્વ. ભાઈઓને રક્ષા માટે બહેનો રાખડી બાંધીને ભાઈની રક્ષાની કામના કરે છે. આ પર્વના પૂર્વ દિવસે અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોમાં શાળાના બાળકો તથા આશા વર્કરોએ આરોહ્ય સુરક્ષાના વિવિધ સૂત્રો સાથેની રાખડીને અનોખી રીતે પર્વની ઉજવણી કરી હતી.તાજેતરમાં અમદાવાદ જિલ્લાના બાવળા અને આસપાસના પંથકમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ સર્જાયેલી પાણી ભરાવાની અને ગંદકીની સમસ્યાના નિવારણ માટે વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.આ પરિસ્થિતીમાં લોકોનું અરોગ્ય જોખમાય નહી પણ જળવાય તેવા હેતુથી જિલ્લા આરોગ્ય તંત્ર સક્રિય રીતે કામ કરી રહ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા…
ઉત્તર ગુજરાતના વડનગરના પૌરાણિક હાટકેશ્વર મહાદેવના મુખ્યમંત્રીએ શ્રાવણ માસના ત્રીજા સોમવારે પૂજન-અર્ચન કર્યારાજ્ય સરકાર દ્વારા હાટકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શન યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટમાં સમાવેશ થયો છેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના વડનગર સ્થિત અને પૌરાણિક મહત્વ ધરાવતા હાટકેશ્વર મહાદેવના દર્શન પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તિભાવ પૂર્વક કર્યા હતા. તેમણે રાષ્ટ્ર અને રાજ્યના સતત વિકાસ અને પ્રગતિ તથા સૌ નાગરિકોની સુખાકારી,સમૃદ્ધિ,શાંતિ માટે હાટકેશ્વર દાદાને પ્રાર્થના કરી હતી.હાટકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શન યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં,મંદિર પરિસરમાં યાત્રી સુવિધા વિકાસના પ્રથમ તબક્કાના રૂ. ૧૮ કરોડના કામો અને બીજા તબક્કામાં રૂ. ૪.૨૨ કરોડના અનુદાનથી…
ભારતીય જન પરિષદના ઉપક્રમે દિલીપ સંઘાણી નાં નેતૃત્વમાં ટેરીફ વિરોધમા સમગ્ર રાજયમા સર્વપ્રથમ અમરેલી ખાતે વિરોધ પ્રદર્શન-અમેરીકન વસ્તુનો બહિષ્કાર: અમરેલીમાં મોટી સંખ્યામા લોકો જોડાયાઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર સહિત વિશાળ સંખ્યામા લોકોની ઉપસ્થિતી• ભારતમા અનાજની તંગીમા નબળા ઘઉં મોકલવા સામે લાલબહાદુર શાસ્ત્રી ઉપવાસ ઉપર બેઠા હતા. • પોખરણ અણુ ધડાકા સામે અમેરીકાના આર્થીક પ્રતિબંધોનો સામનો અટલજીએ અડગતાથી કર્યો. • ઓપરેશન સિંદુરની સફળતાથી ભારતના સંરક્ષણ ક્ષેત્ર આત્મ નિર્ભરતાની અમેરિકાને ઈર્ષા.Amreli, અમેરીકાની ઈર્ષાનો ભોગ ભૂતકાળમા પણ ભારત ભોગવી ચુકેલ છે, દેશમા અનાજની તંગી ઉભી થયેલ ત્યારે પશુચારામા પણ ન ચાલે તેવા ઘઉં ભારતને…
રંગોળી, ક્વિઝ, પત્ર લેખન અને ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સહભાગી થયાAhmedabad, રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” અંતર્ગત તા.15 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.જે અંતર્ગત અમદાવાદ ડીપીઇઓ અને ડીઇઓ રૂરલ હસ્તકની 400 જેટલી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાઓમાં રંગોળી, ક્વિઝ, પત્રલેખન અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. આ તમામ સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું.રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ તિરંગા, ભારત માતાની પ્રતિકૃતિ અને દેશભક્તિ પ્રેરિત દ્રશ્યો તૈયાર કર્યા હતા. જ્યારે ચિત્ર સ્પર્ધામાં…
અમદાવાદ, આંબાવાડી નજીક માણેકબાગ શ્રેયસ બ્રિજ પાસેની રોહિણી સોસાયટીના બંગલો ૧૭માં રહેતા એક વેપારી તેમના માતા-પિતા અને ભાઇને લેવા પરોઢિયે સાબરમતી રેલવે સ્ટેશન ગયા હતા.સવા કલાક બાદ તે ઘરે આવ્યા ત્યારે તેમના ઘરના ગેસ્ટ રૂમનું હેન્ડલ તુટેલુ હતું. ઘરમાં તપાસ કરતા તસ્કરો બારીના સળિયા તોડીને અંદર પ્રવેશીને રોકડા, દાગીના અને રાડોની ઘડિયાળ સહિત ૮.૦૮ લાખની મતા ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું હતું.આ મામલે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માણેકબાગ શ્રેયસ બ્રિજ પાસે આવેલી રોહિણી સોસાયટીના બંગલો નં.૧૭માં રહેતા અનુરાગભાઇ કાબરા ન્યુ ક્લોથ માર્કેટમાં દુકાન ધરાવી કાપડનો વેપાર કરે છે.અનુરાગભાઇના મોટા બાપાનું અવસાન થતાં તેમના…
અમદાવાદ, વિરમગામમાં દુકાન ધરાવતા વેપારીની દુકાન દબાણમાં તૂટી જવાની તેમજ અન્ય દુકાન નામે થઇ જાય તે માટે એક મહિલાએ તાંત્રિકનો ઢોંગ કરીને વિધિ કરવાના નામે છેતરપિંડી આચરી છે. મહિલાએ દુકાનની નીચે કરોડોનું છૂપાયેલું ધન અપાવવાની લાલચ આપીને વિધિના નામે કુલ ૬૭ લાખના દાગીના અને રોકડા મેળવીને છેતરપિંડી આચરી હતી.વિરમગામ પોલીસે ગુનો નોંધી ઢોંગી મહિલા તાંત્રિકની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન વધુ ભોગ બનનાર હોવાની પોલીસને શંકા છે. વિરમગામમાં રહેતા ૬૨ વર્ષીય દિનેશભાઇ શેઠ ફરસાણની દુકાન ધરાવે છે. થોડા સમય પહેલા સંબંધી થકી ગોધરાની કોમલ રાઠોડ સાથે સંપર્ક થયો હતો. કોમલને માતાજી આવતા હોવાનું કહીને વિવિધ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી…
પાર્કિંગ – એમ્ફી થિયેટર – પાથ-વે – ફૂડ પ્લાઝા સહિતની વધુ સુવિધાઓ વડનગર આવનારા પ્રવાસીઓને ઉપલબ્ધ થશેપ્રોજેક્ટ્સની કામગીરીમાં ગુણવત્તાયુક્ત કામો અંગે મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનો કર્યામુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહર સમાન વડનગરમાં રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સની કામગીરી પ્રગતિનું નિરીક્ષણ સ્થળ મુલાકાત લઈને કર્યું હતું.વડનગરના રેલ્વે સ્ટેશન સામે નિર્માણ થઈ રહેલા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબની કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે તે માટે રેલ્વે અને રાજ્ય સરકારના ટુરીઝમ ડિપાર્ટમેન્ટ વચ્ચે આ પ્રોજેક્ટના યોગ્ય કો-ઓર્ડીનેશન અને ઈન્ટીગ્રેશન માટે મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.Chief Minister Bhupendrabhai Patel visited the site to inspect the progress of…
અમદાવાદ, શહેરના પૂર્વ રિવરફ્રન્ટ પર રક્ષાબંધનના દિવસે અકસ્માત સર્જાયો હતો. એક યુવકના ઘરે તહેવાર હોવાથી મહેમાનો આવ્યા હતા. રાત્રે મહેમાનોને મૂકવા જતો હતો ત્યારે રિવરફ્રન્ટ પર પૂરઝડપે આવેલા બાઇકના ચાલકે યુવકને ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો. બંને બાઇકસવાર અને યુવકને સારવાર માટે ખસેડ્યા હતા.જ્યાં યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે સનાથલ બ્રિજના છેડે આઇસરની અડફેટે આવેલા બાઇકચાલકનું મોત નિપજ્યું હતું. બંને ઘટનાને લઇને ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે. બહેરામપુરામાં રહેતા ૩૯ વર્ષીય રાજેન્દ્ર બારોટ રક્ષાબંધનના દિવસે આવેલા મહેમાનોને મૂકવા માટે ભત્રીજાઓ સાથે જતા હતા. રાજેન્દ્રભાઇ તેમના મહેમાનો અને ભત્રીજાઓ સાથે રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. ત્યાં રામ રહીમના ટેકરા…
વડોદરા, વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા મકાનમાં ૨૦ વર્ષથી કામ કરતા નોકરે જ ઘરમાં ધાપ મારી હોવાનો મામલો બહાર આવ્યો છે. ઘરના કબાટની ચાવી ચોરી કર્યા બાદ બેડરૂમના મુકેલા કબાટના ડ્રોવરમાંથી રોકડા રૂ.૩૦ લાખમાંથી રૂ.૨૦ લાખ ગાયબ કરી નાખ્યાં હતા. મકાન માલિકને શંકા જતા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, ત્યારે નોકરના કાંડનો ભાંડો ફુટ્યો હતો.રૂપિયા પરત આપવાનું કહેવા છતાં નહી આપતા આખરે મકાન માલિકે નોકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.વડોદરા તાલુકાના ભાયલી વિસ્તારમાં નવરચના યુનવર્સિટી સામે રહેતા નિલેશ મદનલાલ ગુપ્તાના ઘરે છેલ્લા વીસેક વર્ષથી તેમના માતા-પિતાના ઘરે જગદિશ ઉર્ફે વિપુલ દેવજી વસાવાને ઘરકામ માટે માસીક રૂ.૧૦ હજારના પગારથી રાખ્યો હતો.જગદીશ પિતાના ઘરની…
