“વેસ્ટર્ન ટાઈમ્સના અહેવાલનો પડઘો” -નરોડા કઠવાડા રોડ ખારીકટ કેનાલને સીલ મારી બંધ કરાયેલા રસ્તા સામે મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની અને અન્ય પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત બાદ એક રસ્તો ખુલ્લો કરતા પ્રજાએ રાહતનો દમ લીધો !!જે કામ નરોડાના કોર્પાેરેટરોએ ના કર્યુ એ કામ ધારાસભ્યોએ કર્યુ ?!તસ્વીર વેસ્ટર્ન ટાઈમ્સ અખબારે ખારીકટ કેનાલ પાસે રાતો રાત રસ્તા સીલ કરાયા પછી ઉદ્દભવેલી સમસ્યાની તસ્વીરો સાથે વાચા આપ્યા પછી અને રજૂઆત કર્યા પછી મ્યુનિ. કોર્પાેરેશનના મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનીધિ પાની સહિત કેટલાક અધિકારીઓએ જરૂરી આદેશ આપ્યા પછી રસ્તો ચાલુ કરાયો છે !એટલું જ નહીં એલીસબ્રીજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ તથા કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અમૃતભઈ ઠાકોરની ઉચ્ચ…
Author: gujarat
Ahmedabad Accident: અમદાવાદમાં વધુ એક અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નહેરૂનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીના રાણીના પૂતળા પાસે બીઆરટીએસ કોરિડોરમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ વ્હીલર પર સવાર બે યુવકોના દુર્ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસે કારચાલકની અટકાયત કરી મળતી માહિતી અનુસાર, નહેરૂનગરમાં ઝાંસીની રાણી નજીક મોડી રાતે બીઆરટીએસ કોરિડોરમાં ટુ વ્હીલર અને કાર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં એટલો ભીષણ હતો કે, ટુ વ્હીલરનો કચ્ચરઘાણ વળી ગયો છે, કાર એટલી સ્પીડમાં હતી કે ટુ વ્હીલરને ટક્કર મારતા ટુ વ્હીલર બીઆરટીએસની રેલિંગમાં…
Øવર્ષ ૨૦૨૫ની ગણતરી મુજબ બરડામાં કુલ ૧૭ સિંહોની હાજરી નોંધાઈØબરડો અભયારણ્ય ૨૬૦થી વધુ પ્રાણીઓ–જળચર પક્ષીઓનું નિવાસ્થાન‘બરડા વન્યજીવ અભયારણ્ય’,જેને સ્થાનિકોમાં ‘બરડો’ તરીકે ઓળખવામાં આવે છે,આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા અતિમહત્વપૂર્ણ જૈવવિવિધતાવાળા પ્રદેશોમાંથી એક છે. વર્ષ ૧૯૭૯માં અભયારણ્ય તરીકે જાહેર થયેલું બરડા,ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું. આજે તે એશિયાટિક સિંહના સંરક્ષણ માટે વિકસાવવામાં આવેલા વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળનું મહત્વપૂર્ણ રહેઠાણ બની ગયું છે.‘એશિયાટિક સિંહ’ એ ગુજરાત અને ભારતની શાન છે,ગુજરાતના એશિયાઈ સિંહ રાજ્યનું ઘરેણું છે. ભૌગોલિક પરિસ્થિતિ-આબોહવાની દ્રષ્ટિએ જ નહીં,પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના…
OBC Student Hostel Fund: ઓબીસીના નામે સરકાર મતો મેળવી રહી છે પણ આ જ સમાજના વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે પીછેહટ કરી રહી છે. સંસદમાં રજૂ થયેલાં એક રિપોર્ટમાં એવો ખુલાસો થયો કે, ઓબીસી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ નિર્માણ કરવા કેન્દ્રએ ગુજરાત સરકારને કાણીપાઈ પણ ફાળવી નથી. વિદ્યાર્થીઓ પીજી અથવા હોસ્ટેલમાં રહેવા મજબૂર અભ્યાસ કરવા ઘણાં વિદ્યાર્થીઓ શહેરમાં પીજી અથવા હોસ્ટેલમાં રહેવા મજબૂર બન્યાં છે. હોસ્ટેલમાં મોંઘી ફી સાથે સંતાનોને ભણાવવા બધા વાલીઓને આર્થિક રીતે પરવડે તેમ હોતુ નથી. આ સંજોગોમાં સરકારી હોસ્ટેલમાં પ્રવેશ મળે તો આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઘણું પ્રોત્સાહન મળી રહે તેમ છે. કેન્દ્રએ ઓબીસી વિદ્યાર્થીઓ માટે કાણી…
રાખડીના તાંતણે ગૂંથાઈ આત્મનિર્ભરતાની નવી ગાથા…!!!-ગુજરાતના ૧૫૦થી વધુ સ્વ-સહાય જૂથની ૧૫,૦૦૦થી વધુ બહેનોએ રાખડી બનાવીને આવકનો નવો સ્ત્રોત ઊભો કર્યોØગાંધીનગર જિલ્લાના જય ગજાનંદ મિશન મંગલમ સખીમંડળની પ્રત્યેક બહેનોએ ફુરસતના સમયમાં રાખડી બનાવીને વાર્ષિક રૂ. ૭૨,૦૦૦ની આવક મેળવીØનવસારી જિલ્લાના રામદેવપીર સખીમંડળને રાખડીના વેચાણ માટે “વન સ્ટેશન,વન પ્રોડક્ટ” અંતર્ગત નવસારી રેલવે સ્ટેશન ખાતે સ્ટોલ ફાળવવામાં આવ્યોØરાજ્ય સરકારે વિવિધ જિલ્લામાં રાખી મેળાનું આયોજન કરીને સખીમંડળની બહેનોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યુંØસખીમંડળ દ્વારા સ્થાનિક વસ્તુઓથી બનાવવામાં આવેલી ઇકોફ્રેન્ડલી રાખડીઓનું ધૂમ વેચાણ થયુંભારતીય સંસ્કૃતિમાં પવિત્ર શ્રાવણને તહેવારના મહિના તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમને ઉજવવાનો તહેવાર,રક્ષાબંધન પણ આ પવિત્ર મહિના દરમિયાન જ આવે છે. આ…
Aravalli Accident: અરવલ્લીના મોડાસામાં આવેલા માઝૂમ બ્રિજ પાસે નવમી ઓગસ્ટ રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોડાસાના સહયોગ તરફથી આવતી કાર 40 ફૂટ ઊંડી માઝૂમ નદીમાં ખાબકી હતી, જેમાં ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ચારેય મૃતકો શિક્ષક હતા મળતી માહિતી મુજબ, અરવલ્લી બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ ઉપરથી પસાર થતી કાર અચાનક પાણી ભરેલી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 4 યુવકોના કરૂણ મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં મૃતકોના નામ કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબીદ મરડીયા, દિપક મેવાડા હોવાનું જાણવા મળ્યું…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલોપ કરવામાં આવેલા અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું.લાંભા વોર્ડમાં ત્યાર થયેલા અર્બન ફોરેસ્ટની વાત કરીએ તો ૪૪૬૪ ચોરસ મીટરમાં રૂ. ૫૫ લાખના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરીને તૈયાર કરવામાં આવ્યો છે.મિયાવાકી પદ્ધતિથી સાગ,ખેર,વાંસ,સીરસ,સીસુ,અર્જુન વિગેરે ઇન્ડીજીનસ પ્રકારનાં કુલ ૮,૦૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ૨૫૦ રનીંગ મીટર લંબાઇનો વોક-વે ત્યાર કરવામાં આવ્યો છે.આ અર્બન ફોરેસ્ટ પાર્કના…
ઉતરાખંડમાં ખીર ગંગા નદીમાં આવેલા પૂર: ગુજરાતના પાટણ,બનાસકાંઠા,અમદાવાદ,ભાવનગર અને વડોદરાના પ્રવાસીઓ ત્યાં સુરક્ષિત છે :- પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલગુજરાત સરકાર ઉત્તરાખંડ સરકાર અને ત્યાંનાSEOCસાથે સતત સંપર્કમાં ઉતરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે વરસેલા ભારે વરસાદ પછી ખીર ગંગા નદીમાં અચાનક આવેલા પૂરના કારણે ધારેલી શહેરમાં સર્જાયેલ પુરની સ્થિતિ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,ગુજરાતના પાટણ,બનાસકાંઠા,અમદાવાદ,ભાવનગર અને વડોદરાના પ્રવાસીઓ ત્યાં હોવાની માહિતી રાજ્ય સરકારને મળી છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાને પગલે રાજ્ય સરકારના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિકારીઓ ઉત્તરાખંડના એસ.સી.ઓ.સીના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને ગુજરાતના ૧૪૧ પ્રવાસીઓને પરત લાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. વધુમાં પ્રવક્તા…
ગુજરાતના માછીમારોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય-સીઝનની શરૂઆતમાં ડીઝલ માટે બંદરો પર સર્જાતા ટ્રાફિકને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યોમાછીમાર સંગઠનો દ્વારા રાજ્ય સરકરને કરવામાં આવેલી રજૂઆતને હકારાત્મક વાચા આપતા મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક માછીમાર હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી તા. ૧૬ ઓગસ્ટથી રાજ્યમાં શરુ થઇ રહેલી નવી માછીમારી સીઝન માટે માછીમાર ભાઈઓને બોટ માટે ડીઝલ વિતરણ તા. ૧૧ ઓગસ્ટથી જ શરુ કરી દેવામાં આવશે.આ સંદર્ભે મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે,ગુજરાત સરકાર દ્વારા પરિપત્રિત કરાયા મુજબ આગામી તા. ૧૬ ઓગસ્ટથી નવી માછીમારી સીઝન શરુ થવા જઈ રહી છે.…
રાજ્યના તમામ નાગરિકોને યોજનાકીય લાભ આપવો એ અમારો સંકલ્પ: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાસામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ કલ્યાણના ૧૮ લાખથી વધુ લાભાર્થીઓને રૂ.૩૯૩.૯૦ કરોડની સહાયનું ઈ-વિતરણ કરાયુંØઅનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમના કુલ ૧,૪૦,૧૯૧ લાભાર્થીઓને રૂ.૨૭.૮૩ કરોડની શૈક્ષણિક,યોજનાકીય સહાય અને લોનની ચૂકવણીસામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ અને અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ અને સંલગ્ન નિગમોની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને શૈક્ષણિક તેમજ યોજનાકીય સહાય તથા લોનનું ઈ-વિતરણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતેથી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ૧૮,૮૪,૫૫૧ લાભાર્થીઓને રૂ.૩૯૩.૯૦ કરોડની સહાય…
