Author: gujarat

અંબાજી મંદિર ખાતે ધર્મ,અધ્યાત્મ અને ટેકનોલોજીના સમન્વય થકી અદ્યતન ડેટા સેન્ટરનો શુભારંભડેટા સેન્ટર દ્વારા પ્રસાદ વિતરણ,ડોનેશન,ભાદરવી પૂનમ મહામેળાની નોંધણી પ્રક્રિયા જેવી યાત્રિકલક્ષી સુવિધાઓ વધુ પારદર્શક – ઝડપથી ઉપલબ્ધ થશે: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતAmbaji, વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે કરોડો માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ યાત્રાળુઓને અંબાજી મંદિર ખાતે વિવિધ યાત્રિકલક્ષી સુવિધાઓ વધુ પારદર્શક અને ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુથી આજે અંબાજી મંદિર ખાતે અદ્યતન ડેટા સેન્ટરનો ઉદ્યોગ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે તેમજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ – જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.આ…

Read More

રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે : મુખ્યમંત્રીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાતની ‘ચેન્જ ઓફ ગાર્ડ‘ સેરેમની યોજાઈરાજ્ય સરકાર ઈચ્છે છે કે ગુજરાતનું રિયલ એસ્ટેટ સેક્ટર નીતિ નિર્માણની પ્રક્રિયામાં રચનાત્મક સૂચનો આપીને સહભાગી બને.–: મુખ્યમંત્રી શ્રી:–મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાત દ્વારા વાર્ષિક સામાન્ય સભા અને ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સેરેમનીનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાતના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. આ નવા હોદ્દેદારો આગામી ૨૦૨૫-૨૭ના કાર્યકાળ માટે પદભાર સંભાળશે.Ahmedabad, આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે દુનિયા જાણે છે કે ભારત વૈશ્વિક…

Read More

પેટલાદ, પેટલાદ તાલુકાના મોરડ ગામની અછીપુરા સીમમાં આવેલા ખેતરમાં રહેતી અને દેશી દારૂ વેચી જીવન ગુજરાન ચલાવતી ૭૫ વર્ષીય વૃદ્ધાની મંગળવારે સાંજના અરસામાં બે શખ્સોએ લુંટના ઇરાદે હત્યા કરી સોનાની બુટ્ટીઓની લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જેમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેમના રીમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.મોરડ ગામની અછીપુરા સીમ વિસ્તારમાં ૪૦ વર્ષીય રામાભાઇ ઉર્ફે ટીકાભાઇ બુધાભાઈ પરમાર પોતાના પત્ની, સંતાન સહિતના પરિવાર સાથે રહે છે અને ડ્રાઇવિંગ કરી જીવન ગુજરાન ચલાવે છે.રામાભાઇ પરમારના ૭૫ વર્ષીય વિધવા માતા ધુળીબેન બુધાભાઈ મંગળભાઈ પરમાર જે પોતાના પુત્ર રામાભાઈ પરમારથી અલગ ઘરથી થોડે દૂર ખેતરમાં કાચું મકાન બનાવીને રહેતા હતા…

Read More

અમદાવાદ, ફરી એક વખત અમદાવાદમાં બનાવટી ચલણી નોટો ફરતી કરવાનું ષડયંત્ર પોલીસે ખુલ્લુ પાડ્યું છે. એસઓજીના ઇન્સ્પેક્ટર વી.એચ.જોષી અને એફ.એન. બેલીમે વેજલપુર સાવન હોલ પાસેથી એક મહિલાને રૂપિયા ૫૦૦ના દરની ૨૭ બનાવટી નોટો સાથે ઝડપી લીધી હતી. પૂછપરછમાં તેને કેટલાક લોકોએ આ નોટો બજારમાં ફરતી કરવા માટે આપી હતી.પોલીસે હાલ આ તત્ત્વોને ઝડપી લેવાની કવાયત આદરી છે. બીજી તરફ એક જ સિરીઝ નંબરની ત્રણ -ત્રણ નોટો મળી આવતાં આ નોટો ક્યાંથી દેશમાં ઘૂસાડવામાં આવતી હતી તેની પાણ તપાસ ચાલી રહી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ગુનેગારોને ઝડપી લેવા માટે ખાસ કવયાત શરૂ કરી છે. ત્યારે જ એસઓજીના ઇન્સ્પેક્ટર જોષી તથા બેલીમને…

Read More

મોરબી, મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ૪ લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં બે ટ્રક અને અર્ટિગા કાર અથડાઈ હતી. વાહન અથડાતાની સાથે જ ભયાનક આગ લાગી હતી જેમાં ઘટનાસ્થળે જ ૪ લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં ટ્રક ડ્રાઇવર અને ક્લિનર સહિત કારમાં સવાર બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.જોકે, કારમાં સવાર પાંચ બાળકો સહિત સાત ફસાયેલો લોકોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા હતા. હાલ, તમામ ઈજાગ્રસ્તોની સામખિયાળી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.મળતી માહિતી અનુસાર, માળિયા સૂરજબારી પુલ પર એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જેથી પાછળ આવતી ટ્રકે લેન બદલવાનો પ્રયાસ કર્યાે, આ…

Read More

અમદાવાદ, બાપુનગરમાં સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવવાનો કડવો અનુભવ સગીરાને થયો છે. મિત્ર યુવક સગીરાને તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની ધમકી આપી સંબંધ રાખવા દબાણ કરતો હતો. સગીરાએ કંટાળીને યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા પાગલ પ્રેમી ઈન્સ્ટાગ્રામમાં સગીરાના ફોટોગ્રાફ અપલોડ કરી દીધા હતા.આ મામલે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.બાપુનગરમાં રહેતા ૪૦ વર્ષીય પિતાએ સગીર દીકરીને ત્રણ વર્ષ સુધી બ્લેકમેઈલ અને બદનામ કરનારા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.સગીરાના એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ઈન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી હતી. બાદમાં તેના ફોટોગ્રાફ માગીને બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો. સગીરાએ યુવકનો નંબર બ્લોક કરીને તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી…

Read More

મહેસાણા, કડી તાલુકાના થોળ ગામ પાસે સપ્તાહ અગાઉ મંદિરમાં દાનમાં આવેલી ચલણી નોટ અને પરચૂરણના બદલે ૧૦ ટકા કમિશન આપી રૂ. ૫૦૦ની ચલણી નોટો લેવાની લાલચ આપી ગઠિયો રૂ. ૧૫ લાખની ચિલ્ડ્રન બેન્કની નકલી નોટો પધરાવી ગયો હતો.કડીની રૂદ્રકુટીર સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ રતિલાલ પટેલને મહિના અગાઉ વિજાપુરના વસાઈ ડાભલા ખાતે રહેતા મિત્ર જીગર ઠાકોરે ફોન ઉપર વાત કરી હતી કે, માણસાના ગોવિંદપુરા (સમૌ)માં રહેતા પટેલ દશરથભાઈ વિઠ્ઠલભાઈ એક મંદિરમાં ટ્રસ્ટી છે. તેઓ મંદિરમાં આવતી પરચૂરણ રકમ આપી બદલામાં રૂ. ૫૦૦ની ચલણી નોટ લે છે. તેઓ ૧૦ ટકા જેટલું કમિશન પણ આપે છે.લાલચમાં આવી પહેલી વખત મહેન્દ્રભાઈ પટેલે સોસાયટીમાં રહેતા મેઘ…

Read More

(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ) પેટલાદ, ગુજરાત રાજ્યના શિક્ષણ તથા સંસ્કૃત વિભાગના સંયુક્ત ઉપક્રમે દરેક જીલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જે મુજબ આણંદ જીલ્લામાં પેટલાદ ખાતે આજરોજ સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી. આ યાત્રાએ શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું.જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત આ યાત્રા દરમ્યાન પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સતત સંસ્કૃત શ્લોકોનું પઠન ચાલુ હતું. જેથી સમગ્ર શહેર આજે સંસ્કૃતમય બન્યુ હતું. આ યાત્રામાં શહેર અને તાલુકાની શાળાના આશરે ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા.દેશની સંસ્કૃતિની જાળવણીમાં સંસ્કૃત ભાષાનો ખૂબ મહત્વનો ભાગ છે. દેશના ખૂણે ખૂણે સંસ્કૃતની પાઠશાળાઓ અને ગુરૂકુળ દ્વારા ઋષીકુમારોને સંસ્કૃતનું શિક્ષણ પુરૂ…

Read More

રાજય સરકારે પ૦ વર્ષથી માઈનોર બ્રીજ રીપેર કર્યાં નથી-સરકાર -મ્યુનિ. કોર્પોરેશન વચ્ચે પોલીસી તૈયાર થઈ ન હોવાથી નાગરિકોની સુરક્ષા જોખમમાં(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાંથી પસાર થતી ખારીકટ અને ફતેહવાડી કેનાલ પર વર્ષો જુના કલવર્ટ છે જેને રાજય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા રીપેર કરવામાં આવ્યા નથી. ખારીકટ ડેવલપમેન્ટ પ્રોજેકટ મંજુર સમયે સિંચાઈ વિભાગ અને સરદાર સરોવર નિગમ લિ. તરફથી આ કેનાલોની તમામ જવાબદારી કોર્પોરેશનને સોંપવામાં આવી હોવાનો પત્ર લખવામાં આવ્યો હતો.પરંતુ આ અંગે સરકાર કે મ્યુનિ. કોર્પોરેશન તરફથી કોઈ સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી આ ભયજનક સ્ટ્રકચરના રીપેરીંગ કોણ કરશે ? તે બાબત ચર્ચાનો વિષય બની છે. મ્યુનિ. કોર્પોરેશને આ…

Read More

૧૫થી વધુ ગાડીઓના ટાયર કાપી દેનાર ગેંગનો પર્દાફાશઅમદાવાદ, અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. અંગત અદાવતમાં એક બે નહીં પરંતુ ૧૫થી વધુ ગાડીઓના ટાયર કાપી દેનાર ગેંગની સેટેલાઇટ પોલીસએ ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસથી બચવા માટે શર્ટથી ચહેરો છુપાવ્યો, વાહનની નંબરપ્લેટ કાઢી નાંખી પરંતુ તેમની એક ભૂલ તેમને જેલ ના સળીયા સુધી લઈ ગઈ છે.થોડા દિવસ પહેલા અમદાવાદ ના પોશ વિસ્તાર એવા સેટેલાઇટ ના રાજીવનગર પાસે આવેલા વૈભવ ટાવર નજીક ૧૫ થી વધુ પાર્ક કરેલી કાર ના ટાયરમાં તીક્ષ્ણ હથિયારથી ટાયરો કાપીને ગેંગ ફરાર થઇ ગઇ હતી જે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસી ટીવી…

Read More