મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ દુરોગામી નિર્ણય –મિશન સ્કુલ ઓફ એક્સલન્સ-2.Oઅંતર્ગત રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકિય સુવિધા સુદ્રઢ કરવા રાજ્ય સરકાર આર્થિક સહાય આપશેખૂટતા વર્ગખંડ બાંધકામ – વિશિષ્ટ ખંડોના નિર્માણ – નવા ટોયલેટ બ્લોક્સ – પીવાના પાણીની સુવિધા – દિવ્યાંગ છાત્રો માટે જરૂરી સુગમ્ય સુવિધાઓ ઊભી કરવા80:20ના ધોરણે સહાય*2025-26ના શૈક્ષણિક વર્ષથી પાંચ વર્ષ માટે અમલ કરાશેમિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ2.Oઅન્વયે ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક – ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે10લાખથી1.50કરોડ સુધીની આર્થિક સહાય મળશે*મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ2.0અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર…
Author: gujarat
GCCI ખાતે તેઓની બિઝનેસ વુમન કમિટીના વર્ષ ૨૦૨૫-૨૬ માટેના ચેરપર્સનનો પદગ્રહણવિધિબુધવાર, તારીખ૬ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ GCCI ખાતેયોજાયો હતો.આ પ્રસંગે ઝાયડસ ફાઉન્ડેશનના વાઇસ ચેરપર્સન શ્રીમતી મેહા પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નવા BWC ચેરપર્સન આશાબેન વઘાસિયાએ વર્ષ 2025-26 માટે તેઓનોકાર્યભાર સાંભળ્યો હતો જયારેનિવૃત થતા ચેરપર્સન પ્રાચીબેન પટવારીએ વર્ષ 2024-25 દરમિયાન થયેલ પ્રવૃત્તિઓ વિશેમાહિતી આપીહતી.BWCના કો.ચેરપર્સન શ્રીમતી શાલુ લેખડિયાએસ્વાગત પ્રવચન કરતાં મુખ્ય મહેમાન તેમજ અન્ય મહેમાનો અને સભ્યોની ઉપસ્થિતિની નોંધ લીધી હતી.GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા માટે વર્ષભર કરવામાં આવેલી પ્રવૃત્તિઓ બદલ BWC ના વિદાયમાન ચેરપર્સન પ્રાચીબેન પટવારી ને અભિનંદન આપ્યા. હતા. તેઓએ નવા…
Øજિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રા સાથે સ્વચ્છતા રેલી પણ યોજાશેØતા. ૧૨ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળો ખાતે સ્વચ્છતા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાશેઅમદાવાદ, ભારત સરકાર દ્વારા આગામી તા. ૮ ઓગસ્ટ થી તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાનિર્દેશ હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા પણ તા. ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ૭૯માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે,તેમ રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.મંત્રી શ્રી સંઘવીએ વધુ વિગતો આપતા કહ્યું હતું…
લમ્પી રોગ સામે રાજ્ય સરકાર સજ્જ: ઘનિષ્ઠ સારવાર અને રસીકરણથી પશુઓને કરાયા સુરક્ષિતલમ્પીગ્રસ્ત પશુઓને યુદ્ધના ધોરણે સારવાર અપાતા ૪૨૬ પશુ સ્વસ્થ થયાગૌ વંશને લમ્પી રોગ સામે રક્ષણ આપવા રાજ્યના ૨૩ લાખથી વધુ પશુઓમાં રોગપ્રતિકારક રસીકરણ કરાયુંરાજ્યના કેટલાક વિસ્તારના ગૌ વંશમાં ફરી એકવાર લમ્પી રોગનો ફેલાવો ધ્યાને આવતા પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલના દિશાનિર્દેશથી રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે લમ્પીગ્રસ્ત પશુઓની ઘનિષ્ઠ સારવાર હાથ ધરવામાં આવી હતી. સાથે જ,આસપાસના વિસ્તારોના સ્વસ્થ પશુઓમાં આ રોગ પ્રસરે નહિ,તે માટે સઘન રોગપ્રતિકારક રસીકરણ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.વરસાદી વાતાવરણમાં મચ્છર/માખીઓનો ઉપદ્રવ વધતા રાજ્યના ૧૨ જિલ્લાના ૧૭૨ ગામમાં લમ્પીના અત્યાર સુધીમાં ૪૬૨ કેસ…
ગાંધીનગર ખાતે સહકારિતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ત્રિપુરાના સહકારિતા મંત્રી શ્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજાઇમંત્રી શ્રી વિશ્વકર્માએ ત્રિપુરાના પ્રતિનિધિ મંડળને સહકારી ક્ષેત્રે માર્ગદર્શન આપી જરૂરી તમામ સહાયની તત્પરતા દર્શાવીગુજરાતના સહકારિતા મોડેલના અભ્યાસ માટે ત્રિપુરાના સહકારિતા મંત્રી શુક્લ ચરણ નોઆતિયા તેમજ પ્રતિનિધિ મંડળ રાજ્યના પ્રવાસેકેન્દ્રિય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે દેશના અલગ અલગ રાજ્યોના સહકારિતા મંત્રીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે સહકારિતા ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની મુલાકાત કરવા સર્વે મંત્રીશ્રીઓને અનુરોધ કર્યો હતો. જેના ભાગરૂપે તા. ૪ થી ૭ ઓગષ્ટ સુધી ત્રિપુરાના સહકારિતા મંત્રી શ્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ…
અમદાવાદ, ગોસ્વામી હવેલી – દોશીવાડા ની પોળ, કાલુપુર નાં આચાર્ય શ્રીરણછોડલાલજી દ્વારા હવેલી સંગીત પર લેક્ચર ડેમોન્ટ્રેશન નું આયોજન અમદાવાદ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ છે. રણછોડલાલજી ખૂબ જ પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતશાસ્ત્રી, વિદ્વાન કલાધર અને માનનીય ધર્મગુરુ છે.Lecture Demonstration on Haveli Sangeet by Acharya Shri Ranchhodlalji at Ahmedabad Universityઆ કાર્યક્રમમાં આચાર્યશ્રી દ્વારા રચિત રાગાંગાર્ણવ રચનાઓ તથા પારંપરિક પ્રાચીન પુષ્ટિ સંગીત ની રચનાઓ રજુ કરવા માં આવશે. તદુપરાંત પુષ્ટિમાર્ગીય સંગીત પર માર્મિક વિવેચન પણ કરવામાં આવશે જેમાં યુનિવર્સિટી નાં પ્રોફેસર ડૉ લક્ષ્મી શ્રીરામ અને ડૉ આદિત્ય ચતુર્વેદી પણ ભાગ લેશે. આ સમગ્ર કાર્યક્રમ અમદાવાદ યુનિવર્સિટી- સ્કૂલ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે…
ગુજરાતના કેવડિયામાં જેમ ઈ-રિક્ષાઓ ચાલે છે અને સ્થાનિક લોકોને ભાડે આપવામાં આવે છે તેવી વ્યવસ્થા કરોનવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે માથેરાનમાં હાથથી ખેંચાતી રિક્ષાના ઉપયોગને અમાનવીય ગણાવીને બુધવારે મહારાષ્ટ્ર સરકારને આ પ્રથા છ મહિનાની અંદર પૂરતી થવી જોઈએ એવો નિર્દેશ આપ્યો છે.મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ, ન્યાયમૂર્તિ કે. વિનોદ ચંદ્રન અને ન્યાયમૂર્તિ એન.વી. અંજારિયાની ખંડપીઠે જણાવ્યું હતું કે ભારત જેવા વિકાસશીલ દેશમાં આવી પ્રથા ચાલુ રહેવી એ સમાજિક અને આર્થિક ન્યાયના બંધારણીય વચનોને ખંડિત કરે છે. આવી પ્રથા માનવ ગૌરવ અને મૌલિક હક્કોની ભાવનાના વિરુદ્ધ છે.કોર્ટે સ્પષ્ટ કહ્યું કે માથેરાનમાં હાથથી ખેંચાતી રિક્ષાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવો જોઈએ અને તેના બદલામાં ઈ-રિક્ષાની…
બાવળામાં વરસાદી પાણીના કારણે ઉદભવતી સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી-૧૩ પંપોથી પાણી ઉલેચવાની કામગીરી ચાલુતાજેતરમાં બાવળા અને આસપાસના પંથકમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ સર્જાયેલી પાણી ભરાવા અને ગંદકીની સમસ્યાના નિવારણ માટે બાવળા નગરપાલિકા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંયુક્તપણે સઘન સફાઈ ઝુંબેશ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.ઉપરવાસમાંથી સતત પાણીની આવક અને પાણી ભરાવાના કારણે ગંદકીનું પ્રમાણ પુષ્કળ વધ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, માનનીય પ્રાદેશિક કમિશનર શ્રી પ્રશાંત જીલોવાની પહેલથી, AMC તરફથી વધારાના સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં, AMC દ્વારા અંદાજે ૭૦ જેટલા સફાઈ કર્મચારીઓ,…
ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના પ્રયાસ હેઠળ ભાવનગર મંડળના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે₹135.58કરોડની અંદાજીત ખર્ચે નવા ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપોની મંજૂરીઆપવામાં આવશેપશ્ચિમ રેલવે માટે રેલ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે. ગુજરાતના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD)ના નિર્માણ માટે₹135.5834કરોડના અંદાજીત ખર્ચની મંજૂરી આપવામાં આવશે. આ સુવિધા વંદે ભારત ટ્રેનોના જાળવણી માટે આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરૂં પાડી શકે છે,જેના પરિણામે ઓપરેશનલ કાર્યક્ષમતા અને ક્ષમતા બંનેમાં વધારો થશે. આ વ્યૂહાત્મક પહેલ વંદે ભારત સહિતની અન્ય ટ્રેનો માટે જાળવણી માળખાકીય સુવિધાઓના વિકાસના વિશાળ યોજના અંતર્ગત છે.મુખ્ય ઉદ્દેશો અને લાભો:·યાત્રીઓની વધતી માંગને ધ્યાનમાં રાખી રેલ ટ્રાફિક અને…
સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ બેંક ખાતે ‘સહકારથી સમૃદ્ધિ‘ની સમીક્ષા બેઠક યોજાઈવિવિધ સહકારી બેંક, સહકારી દૂધ મંડળીઓ અને એપીએમસીના હોદ્દેદારોની ઉપસ્થિતિAhmedabad, ગુજરાત સરકારના સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ બેંક, નારણપુરા ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ સમીક્ષા બેઠકમાં વિવિધ સહકારી બેંક અને દૂધ ઉત્પાદક સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ, ગાંધીનગર અને બોટાદ જિલ્લાની સહકારી મંડળીઓનું મૂલ્યાંકન કર્યું હતું. દરેક ગામની જનસંખ્યા મુજબ લોકોને સહકારી મંડળીઓમાં જોડવાના પ્રયત્નો કરવા મંત્રીશ્રી દ્વારા હોદ્દેદારોને સૂચન કરવામાં આવ્યું હતું.વધુમાં, ખેડૂતોને મહત્તમ ધિરાણ મળે, વિવિધ એપીએમસીના વેપારીઓના સહકારી બેંકમાં ખાતા ખોલવામાં…
