એક રાખી દેશ કે જવાનો કે નામ-ગુજરાતની ૫૩ હજાર આંગણવાડીની બહેનોએ 3.5 લાખથી વધુ રાખડીઓ સરહદના સંત્રીઓની રક્ષા માટે મોકલીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાખડી કળશ સરહદી દળોના જવાનો માટે ગાંધીનગરમાં સુપ્રત થયો-મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિGandhinagar, દેશની સરહદોની દિવસ રાત ખડે પગે સુરક્ષા કરતા સેનાના જવાનોની રક્ષા માટે રક્ષાબંધન અવસરે ગુજરાતની બહેનો દ્વારા રક્ષાના પ્રતિક રૂપે સાડા ત્રણ લાખ રાખડીઓ આ ફરજ પરસ્ત જવાનોને મોકલવામાં આવી છે.રાજ્યની ૫૩ હજાર જેટલી આંગણવાડીઓની બહેનોએ સરહદના સંત્રી એવા સેનાના જવાનોની રક્ષા માટે આ રાખડીઓ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકરૂપે તૈયાર કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ…
Author: gujarat
આણંદ, સોજિત્રા તાલુકાના કાસોર ગામની સીમમાં ખેતરમાં ડાંગર રોપવાની તકરારમાં બે વર્ષ પહેલાં ચાર શખ્સોએ ભેગા થઈને એક વ્યક્તિ ઉપર હુમલો કરી માર માર્યાે હતો જેમાં તેમની હત્યા થઈ ગઈ હતી.આ અંગેનો કેસ પેટલાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે ચારેય વ્યક્તિઓને આજીવન કેદ અને દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યાે છે.સોજિત્રાના કાસોર ગામે ૧૭ જુલાઈ ૨૦૨૩ના રોજ રમણભાઈ પરમાર પોતાના ભાગની સુરેશભાઈની જમીન ખેડી રહ્યા હતા. તે વખતે પ્રવીણ પરમાર ઉપરાંત કૌશિક પરમાર, અજય પરમાર અને ચંદુ પરમાર હાથમાં લાકડીઓ લઈને ત્યાં બેફામ માર માર્યાે હતો.૧૦ દિવસની સારવાર બાદ રમણભાઈનું અવસાન થયું હતું. પોલીસે આ બનાવ સંદર્ભે હત્યાની કલમનો ઉમેરો કર્યાે…
વડોદરા, વડોદરામાં એસબીઆઈમાં બોગસ દસ્તાવેજો રજૂ કરીને હોમલોન આપવાનું કૌભાંડ વ્હિસલ બ્લોઅર પોલીસીના આધારે બહાર આવ્યુ છે. બેન્કમાં છ ખાતામાં ખોટા આવકના પુરાવાઓ આપીને હોમલોન મેળવી હોવાની બેન્કના ફ્રોડ મોનીટરીંગ સેલમાં અમદાવાદ ખાતે થયેલી ફરિયાદના આધારે શરૂ થયેલી તપાસમાં સ્ફોટક વિગતો બહાર આવી છે.લોનધારક, એસબીઆઇ સિક્યુરીટીઝ (એસએસએલ)ના એજન્ટ તથા બેન્કની માન્ય એવી અમદાવાદ સ્થિત લોનધારકના ડોક્યુમેન્ટ વેરીફીકેશન પેઢી કે. પ્રવિણચંન્દ્ર એન્ડ એસોશીએટના કર્મચારીઓની મીલીભગતથી કરોડોની ઉથલપાથલ થઇ હોવાનું બહાર આવ્યુ છે.જેના આધારે બેન્ક દ્વારા નવ જેટલા લોન ધારકો, એસબીઆઇના બે એજન્ટ તથા અમદાવાદ સ્થિત પેઢીના પાંચ એક્ઝિક્યુટીવોની સામે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.સૂત્રો મુજબ બેન્કના ચીફ મેનેજર યજ્ઞેશ મનુભાઇ…
અમદાવાદ ખાતે વિશ્વ સંસ્કૃત દિનના અનુસંધાને ‘સંસ્કૃત ગૌરવ યાત્રા‘ યોજાશેજિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર અને ગ્રામ્ય) દ્વારા આયોજનઆવતીકાલે તા.૬ ઓગસ્ટે સવારે ૭ વાગ્યે પ્રભાત ચોકથી યાત્રાનું પ્રસ્થાન થશેસંસ્કૃત યાત્રાની સાથે દેશનું ગૌરવ વધારતી તિરંગા યાત્રાને પણ સાંકળવામાં આવશેગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે શ્રાવણી પૂર્ણિમાના દિવસે વિશ્વ સંસ્કૃત દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને સમગ્ર રાજ્યમાં તા.૬થી ૮ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.જે અંતર્ગત અમદાવાદ ખાતે પણ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર અને ગ્રામ્ય) દ્વારા ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.…
યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઇ મહત્વની બેઠકગાંધીનગર,યુસીસીને લઈ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. રિપોર્ટ તૈયાર થવા અને સોંપવા સંદર્ભે ચર્ચા થઈ હતી. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા અંગે મહત્વની બેઠક મળી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યુસીસીની બેઠક યોજાઈ હતી.બેઠકમાં યુસીસીના રિપોર્ટ અંગે કમિટીના સભ્યો સાથે ચર્ચા કરાવામાં આવી હતી. રિપોર્ટ તૈયાર થવા અને સોંપવા સંદર્ભે મુખ્યમંત્રએ માહિતી મેળવી હતી. ગુજરાત યુસીસી અધ્યક્ષ રંજના દેસાઈએ બેઠકને લઈ નિવેદન આપ્યું હતું. ગુજરાત યુસીસીનો રિપોર્ટ સોંપવામાં હજુ એક મહિના જેટલો સમય લાગી શકે છે. બેઠકમાં અલગ-અલગ મુદ્દાઓ અંગે વિચારણા કરાઈ છે.જસ્ટિસ રંજના દેસાઈ જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચનું નેતૃત્વ…
ઓઢવમાં ભત્રીજીને હેરાન કરતા યુવકને ઠપકો આપવા ગયેલા કાકાની હત્યાઅમદાવાદ, અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ભત્રીજીને હેરાન કરતા યુવકને ઠપકો આપવા ગયેલા કાકાની ઘાતકી હત્યા કરાઈ હતી. ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ સગા ભાઈઓની ધરપકડ કરી હતી.ભત્રીજીના સગાઈના દિવસે કાકાની અંતિમ યાત્રા નીકળતા પરિવારમાં માતમ છવાયો હતો. પરિવારે આરોપીઓને સજા મળે તેવી માંગ કરી હતી.પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી જીગ્નેશ પટણી, અરુણ પટણી અને વીકી ઉર્ફે ડોલી પટણીની હત્યાના કેસમાં ઓઢવ પોલીસે ધરપકડ કરી હતી. ૩ ઓગસ્ટના રોજ રાત્રે ૮ઃ૩૦ વાગે ઓઢવના રામનગર ખાતે મૃતક સુનિલ ઉર્ફે ભોપો પટણી અને તેના મિત્રો રવિ પટણી ભત્રીજી રેશમાને…
(જૂઓ વિડીયો) રેગીન એક્ટિવિટી કરીને બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટેન્કરને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું હતું. (એજન્સી)ગાંધીનગર, ગંભીરા બ્રિજ પર લટેકેલું ટેન્કર બહાર કાઢવામાં આવ્યું છે. મરિન બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ કરી ટેન્કરને લગભગ ૨૮ દિવસ બાદ બહાર કઢાયું છે. ટેન્કર નીચે મરીન બલૂન મૂકાયા હતા. જ્યારે મરીન બલૂનમાં હવા ભરીને ટેન્કરને ઉંચું કરાયું હતું.આખરે ટેન્કરને ભારે જહેમત બાદ સલામતીપૂર્વક બહાર કાઢવામાં આવતાં ટેન્કર માલિક અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ટેન્કરના માલિકે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. ટેન્કર માલિકની ટેન્કર ઉતારવા અનેક રજૂઆતો છતાં ટેન્કર ઉતારવા વડોદરા અને આણંદ જિલ્લા તંત્ર એક બીજા ઉપર જવાબદારી ઢોળી રહ્યા હતા. આખરે…
(એજન્સી)અમદાવાદ, જુહાપુરાના સંકલિતનગરમાં ઘરના પગથિયા આગળ પાનની પિચકારી મારવા બાબતે પાડોશીઓ વચ્ચે તકરાર બાદ મારામારી થઇ હતી. ઉશ્કેરાયેલા લોકોએ ૧૯ વર્ષીય યુવકને ઉપરાઉપરી છરી ઝીંકી ઢાળી દીધો હતો. વેજલપુર પોલીસે બંને પક્ષના લોકો સામે ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી છે.જુહાપુરામાં રહેતા મોહમંદસફી શેખ અને તેમનો ૧૯ વર્ષીય પુત્ર સુફિયાન ત્રણ દરવાજા ખાતે કપડાંનો વેપાર કરે છે. ગત રવિવારે મોડી રાત્રે તેમના ઘરની બહાર ઝઘડો થતો હતો. ત્યાં જઇને તપાસ કરી ત્યારે મોહમદસફીના બનેવી મોહમદ હમઝા શેખ સાથે તેમની પાડોશમાં રહેતા લોકો તકરાર કરી રહ્યા હતા.પાડોશમાં રહેતા આરીફ ખલીફાનો દીકરો તાહીર, તારીક અને અયાન તથા સાઢુ અકરમ મણીયાર, સાળો શાહરૂખ…
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત પોલીસે અદ્યતન અભિરક્ષક વાહન ખરીદ્યાં છે. જેને એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વિહિકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તહેનાત કરાશે.અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચીને તત્કાલિક રેસ્પોન્સ આપશે અને ગોલ્ડન અવર્સ દરમિયાન ઈજાગ્રસ્તોને બચાવી તેને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે. આ વાહન ત્યારે ખૂબ મદદરૂપ સાબિત થશે, જ્યારે માર્ગ અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ વાહનની અંદર ફસાઈ ગઈ હોય. આધુનિક અભિરક્ષક વાહનમાં ઓક્સિજનનો બાટલો ઉપરાંત ૩૨થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઈક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે.જેમાં મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર, જનરેટર અને હેવી વેઈટ લિફ્ટ કરી શકે તેવી વીંચ જેવા…
(પ્રતિનિધી)અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં ડેગ્યુ, કોલેરા, કમળા જેવા રોગચાળાના કેસ સતત વધી રહ્યા છે મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવામાં માટે દવા છંટકાવ જેવી વિવિધ કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત મચ્છર ઉતપત્તી નિયંત્રણ માટે ખાસ ઝુંબેશ પણ કરવામાં આવે છે.મંગળવારે રહેણાક વિસ્તારમાં કરેલી આવી ઝુંબેશ દરમિયાન કોર્પોરેશને ૫૦૪ એકમોને નોટીસ આપી રૂપીયા ૨ લાખનો દંડ વસુલ્યો હતો જ્યારે જુન જુલાઈ મહિનામાં ડેન્ગયુ, ઝાડા-ઉલટી અને કોલેરાના કેસોમાં ચિંતા જનક વધારો જોવા મળ્યો છે.શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે રોગચાળો વકરી રહ્યો છે શહેરમાં જુલાઈ મહિના દરમિયાન ઝાડા ઉલટીના ૭૮૯, કમળાના ૭૯૫, ટાયફોઈડ, ૬૧૫ અને કોલેરાના ૨૭ કેસ નોંધાયા છે.શહેરના…
