ગુજરાત સરકારની પેકેજ યોજના હેઠળ હેન્ડલૂમ સહકારી મંડળીઓને મળે છે હેન્ડલૂમ ઉત્પાદનોના વેચાણ પર 5% વળતર સહાય,મહિલા સહકારી મંડળીઓને વેચાણ પર 15% વળતર સહાયહાથશાળના વણકરોને ટેકો આપવા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે પરિવર્તનકારી યોજનાઓ અમલમાં મૂકી છેAhmedabad, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના હાથશાળ વણકરોની કારીગરી અને તેમના સમૃદ્ધ વારસાને ટેકો આપીને તેમનું આર્થિક ઉત્થાન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. હેન્ડલૂમ સોસાયટીઓના ઉત્થાન માટેના સતત પ્રયાસોના ભાગરૂપે ગુજરાત સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા પેકેજ સ્કીમ અમલમાં છે. આ પહેલ સહકારી કાયદા હેઠળ નોંધાયેલી ઔદ્યોગિક સહકારી મંડળીઓને ટેકો આપે છે,જે અંતર્ગત હેન્ડલૂમ…
Author: gujarat
ઠક્કરનગરમાં રોંગ સાઈડમાં આવતાં વાહનોને પકડવાની ડ્રાઈવ દરમિયાન ચોંકાવનારો બનાવ બન્યો(એજન્સી)અમદાવાદ, રોંગ સાઇડમાં વાહન લઇને આવતા ચાલકે તેના સાગરીતો સાથે મળીને ટ્રાફિક પીએસઆઈને માર મારીને તેને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.વાહનચાલક તેના સાગરીતોને લઇને આવ્યો હતો અને પીએસઆઈ સાથે માથાકૂટ કરીને બજરંગદળના નામે ધમકી આપી હતી. માથાભારે તત્ત્વોએ પીએસઆઇને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપીને લાફા માર્યા હતા જ્યારે તેમનો કોલર પણ પકડી લીધો હતો. આ સાથે ગિન્નાયેલા તત્ત્વોએ તમામ ટ્રાફિકના પોલીસ કર્મચારીઓને નોકરી કેવી રીતે કરી શકો છો તેવી ધમકી પણ આપી હતી. હાઈકોર્ટના આદેશ બાદ રોંગ સાઇડમાં પસાર થતા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની પોલીસે શરૂઆત…
(એજન્સી)છોટાઉદેપુર, છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. બોડેલી તાલુકાના ધનપુર ખોસ વસાહત ખાતે એક બાળકને રખડતા શ્વાને ફાડી ખાધો. જેમાં બાળકનું મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બોડેલીના પાવીજેતપુરના રતનપુરમાં રહેતી ઉષાબેન તેના ૩ વર્ષના બાળક વંશ સાથે પિયર આવ્યા હતા.ગઈકાલે સાંજના સમયે દીકરો વંશ મામાના ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે અચાનક રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. તેને ગળાના ભાગ પકડી દૂર સુધી લઈ ગયો હતા.આ બાબતની લોકોને જાણ થતાં લોકોએ તેની શોધખોળ કરી હતી. જેમાં નર્મદાની મુખ્ય કેનાલ પાસેથી બાળક મળી આવ્યો હતો. જોકે, ઘટના સ્થળ પર બાળકનું મોત થયું હતું. બાળકનું મોત થતાં પરિવારમાં…
મ્યુનિસિપલ પબ્લિસિટી વિભાગે ડિસક્વોલીફાય કંપનીને કરોડો રૂપિયાના પેમેન્ટ ચુકવ્યા(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ પબ્લિસિટી વિભાગ તેમની મુળ ફરજમાં હંમેશા નિષ્ફળ સાબિત રહ્યું છે પરંતુ ભ્રષ્ટાચાર કે કૌભાંડ મામલે હંમેશા અવ્વલ રહ્યું છે.પબ્લિસિટી વિભાગમાં કોન્ટ્રાકટરો અને ઉચ્ચ અધિકારીઓની સાંઠગાંઠના કારણે કરોડો રૂપિયાના બીલ બારોબાર ચુકવાઈ જાય છે જેનો હિસાબ મળતા નથી તેવી જ રીતે કેટલાક કિસ્સામાં ડિસક્વોલીફાય પાર્ટીને કામ સોપ્યા બાદ ઉચ્ચ કક્ષાએથી મનાઈ કરવામાં આવી હોવા છતાં પેમેન્ટ થઈ જાય છે આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં સુરતની ડિસક્વોલિફાય કંપની બારોબાર કરોડો રૂપીયાનું પેમેન્ટ થઈ ગયુ છે.મ્યુ.પબ્લિસિટી વિભાગ દ્વારા હો‹ડગ્સ-ફ્લેક્ષ પ્રિન્ટિંગ માટે ટેન્ડર જાહેર કરવામા આવ્યા છે જેમાં…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે પાડોશીના ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં ૨૦ વર્ષના યુવકની ચપ્પાના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક સુફિયાનને આર્યન આરીફ ખલીફા અને અન્ય ચાર અજાણ્યા લોકોએ ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. આ પાંચેય આરોપીઓ હાલ ફરાર છે.પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ સુફિયાનના ઘર પાસે પાન મસાલા થૂંકતા સુફિયાનના પિતા સાથે તેમની બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલી હદે વધી ગઈ કે આરોપીઓએ સુફિયાનના પિતા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. પોતાના પિતાને બચાવવા માટે સુફિયાન વચ્ચે પડ્યો ત્યારે આરોપીઓએ તેના પર ચપ્પા વડે અનેક વાર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.ઘાયલ સુફિયાનને તાત્કાલિક સારવાર અર્થે…
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, શહેરીકરણની સાથે સાથે બહોળા પ્રમાણમાં વધતા જતા વાહન વ્યવહારને કારણે અમદાવાદ શહેરમાં ધ્વનિ પ્રદુષણનું પ્રમાણમાં અસામાન્ય વધારો થયો છે. શહેરના કુલ ધ્વનિ પ્રદુષણમાં ૭૦% જેટલો હિસ્સો વાહન વ્યવહાર એટલે કે ટ્રાન્સપોર્ટેશનનો હોવાથી ધ્વનિ પ્રદુષણને શક્ય તેટલુ ઓછુ કરવાના ભાગરૂપે ૭ ફ્લાયઓવર પર સાઉન્ડ બેરીયર લગાવવામાં આવશે. જેના માટે રૂ.૨૨ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં આવેલ જુદા જુદા હયાત ફ્લાયઓવર બ્રીજ (૧) સોનીની ચાલી બ્રીજ (૨) અંજલી બ્રીજ (૩) બોપલ બ્રીજ (૪) જીવરાજપાર્ક બ્રીજ (૫) આઈ.આઈ.એમ બ્રીજ (૬) ગુજરાત કોલેજ બ્રીજ (૭) રાણીપ ફ્લાય- ઓવર પર સાઉન્ડ બેરીયર લગાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.શહેરમાં (૧)…
મૃતક પોલીસ કોન્સ્ટેબલ મૂળ રાજકોટના જસદણના વતની-૯ વર્ષના દીકરાની સામે માતા-પિતાના મોત-પતિના માથામાં ઘોડિયાનો પાયો મારીને પતિની હત્યા(એજન્સી)અમદાવાદ, અમદાવાદ દાણીલીમડા પોલીસ લાઈનમાં પત્નીએ કરી પોતાના જ પતિ ની હત્યા. પત્નીએ પતિના માથામાં ઘોડિયાનો પાયો મારીને પતિની હત્યા કરી નાખી. ત્યારબાદ પત્નીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ જણાવ્યું હતું કે અમે હજી ત્યાં પહોંચ્યા છીએ અને તપાસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, મૃતક પોલીસ કર્મચારી મુકેશભાઈ પરમાર છ ડિવિઝન ટ્રાફિકમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.બપોરે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ પતિને માર માર્યો હતો. પત્નીના મારના કારણે મુકેશ પરમાર લોહી લુહાણ થઈ ગયા…
(એજન્સી)તાલાલા, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભાચા ગામમાં એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટના સામે આવી છે. મોડી રાત્રે ઝૂંપડામાં સુતેલા ૨ વર્ષીય માસુમ બાળકને દીપડો ઉઠાવી ગયો હતો.જે પછી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના ખોડિયારની ધાર પાસે આવેલા દેવીપૂજક સમાજની વસાહતમાં બની છે,જ્યાં છેલ્લા ૩૫ વર્ષથી લોકો ઝૂંપડા બનાવીને રહે છે. મૃતક બાળકની ઓળખ રાજવીર ભુપતભાઈ સોલંકી તરીકે થઈ છે, જે માત્ર બે વર્ષનો હતો. ઘટનાની રાતે, આશરે રાત્રે ૧ વાગ્યાના સમયે દીપડાએ ખુલ્લા ઝૂંપડામાં સૂતા રાજવીર પર અચાનક હુમલો કર્યો અને તેને ઊંચકીને લઈ ગયો. દીપડાના હુમલાથી રાજવીરના પિતાની ઊંઘ તૂટી જતા તેમણે તરત જ દીપડા…
રાજકોટમાં ફોઈએ જ ભત્રીજીનું અપહરણ કર્યાનું સામે આવ્યુંરાજકોટ, રાજકોટની એક ફોઈ હાલ ચર્ચામાં છે. રાજકોટમાં ફોઈ-ભત્રીજીનાં ગુમ થવાના કેસમાં ખુદ ફોઈએ જ ભત્રીજીનું અપહરણ કર્યાનું ખૂલ્યું છે. વારસાઈ મિલકતમાં હિસ્સો લેવા માટે ફોઈએ આખું ષડયંત્ર રચ્યું હતુ. આ અપહરણમાં વકીલ સહિત બે શખ્સોની સંડોવણી સામે આવી છે.પ્રદ્યુમનનગર પોલીસે ફોઈ રીમા માખાણીની અટકાયત કરી છે. મિલકતમાંથી ભાઈએ બહેનનું નામ કાઢી નાંખતા વિવાદ ચાલતો હતો. જોકે, હવે ફઈ-ભત્રીજી વિવાદ મામલે પોલીસે આરોપી વકીલની અટકાયત કરી છે.રાજકોટ શહેરમાં હાઈ પ્રોફાઇલ ચકચારી ઘટના સામે આવી હતી. ૬ વર્ષની બાળકીને ફોઈ ઉપાડી લઈ જઈ ગુમ થઈ જતા ખળભળાટ મચી ગયો હતો. ગત ૨૪ જુલાઈના રોજ…
પિતા પ્રજ્ઞેશ પટેલ ની ધરપકડ કરી હતી અને જેલ ભેગા કરેલા હતા ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તથ્ય પટેલ સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતોઅમદાવાદ, અમદાવાદમાં તેજ રફ્તારમાં કાર ચલાવીને ૯ લોકોના ભોગ લઇ લેનારા તથ્ય પટેલ કોઇપણ ભોગે જામીન મેળવવા અને જેલમાંથી બહાર આવવા હવાતિયાં મારી રહ્યો છે.જામીન મેળવવા માટે આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. તથ્ય પટેલે અગાઉ ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પણ ટ્રાયલ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી પરિણામે તેણે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. ગ્રામ્ય કોર્ટમાં ચાર્જ ફ્રેમ બાકી હોવાથી જામીન આપવા તેણે માંગ કરી હતી.અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત…
