Author: gujarat

દીકરાની સગાઈ કરવા પહોંચ્યા અને પિતાનું થયું મોત -પહેલા દીકરાના પિતા ભીખાભાઈને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતુંરાજકોટ, હાર્ટ એટેકના કેસ અને તેનાથી મોત થવાના સમાચાર સતત સામે આવી રહ્યાં છે. નાની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યાં છે.રાજકોટમાં વધુ એક વ્યક્તિએ હાર્ટ એટેકને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટના મોરબી રોડ પર જકાતનાકા પાસે લાલપરી-૨મા રહેતા ભીખાભાઈ જકશીભાઈ બારીયા (ઉંમર વર્ષ ૫૨) દીકરાની સગાઈ કરવા માટે જોડીયા ગામે ગયા તો વેવાઈના ઘરે હાર્ટ એટેક આવી ગયો હતો.પ્રાપ્ત વિગત અનુસાર મોરબી રોડ જકાતનાકા પાસે રહેલા ભીખાભાઈ બારીયા રવિવારે…

Read More

ડોક્ટરોના પ્રયાસ બાદ દીકરીનો જીવ બચી જતાં માતાની આંખમાં આસું આવી ગયા હતાઅમદાવાદ, અમદાવાદઃ વડગામના ખેડૂત દંપતીની ૨ વર્ષની દીકરી જેન્સી સોલંકી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. તપાસમાં બાળકીની શ્વાસનળીમાંથી બંને ફેફસામાં જતા બ્રોન્કસમાં મગફળીના દાણા ફસાયેલા હોવાનું સામે આવતાં તાત્કાલિક ઓપરેશન કરાયું હતું.ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમે સફળ સર્જરી કરીને બાળકીને નવી જિંદગી આપી. ડોક્ટરોની સમયસૂચક કામગીરી અને આધુનિક સારવારથી હાલ બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે.આ કેસ અંગે વાત કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્સ તેમજ પીડિયાટ્રિક સર્જરી વિભાગના હેડ અને પ્રોફેસર ડૉ. રાકેશ જોશીએ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના વડગામ ગામના ખેડૂત દંપતી મોતીભાઈ…

Read More

આખી પેનલે ૧૧ હજારથી વધુની લીડ મેળવીગુજરાત તેમજ મુંબઈમાં મળી કુલ ૫૮ શાખાઓ ધરાવતી બેન્કની ચૂંટણી જાહેર થતાં જ સહકારી રાજકારણમાં ગરમાવો શરૂ થઈ ગયો હતોમહેસાણા,રાજ્યમાં બીજા ક્રમની સહકારી અને મલ્ટીસ્ટેટ શિડ્યુલ્ડ બેન્કનો દરજ્જો ધરાવતી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિ.ના ૮ ડિરેક્ટરો માટેની પેટાચૂંટણીમાં વિકાસ પેનલને પછાડીને વિશ્વાસ પેનલના તમામ ઉમેદવારોનો ૧૧ હજારથી વધુ મતથી ભવ્ય વિજય થતાં ઈતિહાસમાં પ્રથમવાર બેન્કની સત્તામાં પરિવર્તન આવ્યું છે.ગુજરાત તેમજ મુંબઈમાં મળી કુલ ૫૮ શાખાઓ ધરાવતી બેન્કની ચૂંટણી જાહેર થતાં જ સહકારી રાજકારણમાં ગરમાવો શરૂ થઈ ગયો હતો અને ૬ સામાન્ય, એક મહિલા અને એક SC-ST કેટેગરીની એમ કુલ ૮ બેઠકો માટે કુલ ૬૯…

Read More

Rahul Gandhi News : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં બુધવારે જામીન મળ્યાં. ઝારખંડના ચાઇબાસાની એમપી-એમએલએ કોર્ટે આ જામીન આપ્યા હતા. મામલો ભાજપ નેતા પ્રતાપ કટિહાર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસ સંબંધિત હતો. વિવાદ ક્યારે શરૂ થયો? આ વિવાદની શરૂઆત રાહુલ ગાંધીના 28 માર્ચ 2018માં કોંગ્રેસ અધિવેશનમાં આપેલા એક નિવેદનથી થઇ હતી. જેમાં રાહુલ ગાંધીએ ભાજપના તત્કાલીન પ્રમુખ અમિત શાહ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારે આ મામલે 9 જુલાઈ 2018ના રોજ પ્રતાપ કટિહારે ચાઇબાસા સીજેએમ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. અગાઉ બિનજામીનપાત્ર વૉરન્ટ ઈશ્યૂ થયો હતો આ મામલે અનેક વખત સમન્સ મોકલાયા હતા પણ રાહુલ ગાંધી કોર્ટમાં…

Read More

RBI Repo Rate: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની આજે પૂર્ણ થયેલી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતાં રેપો રેટ 5.5 ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, વર્તમાન મેક્રોઈકોનોમિક સ્થિતિ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતાં રેપો રેટ 5.5 ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. ક્રેડિટ બજારો (લોનધારકો) અને વ્યાપક અર્થતંત્રે રેટ કટ માટે વધુ રાહ જોવી પડશે. ગવર્નરે ઉમેર્યું કે મધ્યમ ગાળામાં, બદલાતી વિશ્વ વ્યવસ્થા વચ્ચે ભારતીય અર્થતંત્ર તેની વારસાગત શક્તિ, મજબૂત મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત ઉજ્જવળ સંભાવનાઓ ધરાવે છે.…

Read More

Gujarat Farmers Debt: ખેડૂતોની આવક બમણી થશે તેવા વચન-વાયદા કરવામાં આવ્યા હતાં તે હવે ખોટા સાબિત થયા છે. ખેડૂતોની આર્થિક સ્થિતી દીને દીને કથળી રહી છે જેના કારણે તેઓ દેવુ કરવા મજબૂર બન્યાં છે. લોકસભામાં રજૂ થયેલાં રિપોર્ટ મુજબ, ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે રૂ. 56,568નું દેવુ છે. ખેતી બચાવવા ખેડૂતો અથાગ પ્રયાસો ખેતી કરવી હવે મોંઘી બની રહી છે. કેમકે ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેતમજૂરીના ભાવ વધ્યાં છે. તેમાંય અથાગ મહેનત કર્યા પછી જો ભારે વરસાદ થાય, વાવાઝોડુ આવે તો પાકને નુકસાન થાય. ખેડૂતોની માંગ છતાંય હજુય પાક ઉત્પાદનના પુરતા ભાવ મળતાં નથી. આ સંજોગોમાં ખેતી બચાવવા ખેડૂતો અથાગ પ્રયાસો…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશનમાં હવે અધિકારીઓએ પણ અપનાવ્યો ‘સમીક્ષા ઉપક્રમ’,અંબાજી પહોંચ્યા પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર‘સ્વચ્છતા અને સુરક્ષા’ ના મંત્ર સાથે શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટીતંત્ર સજ્જ થઈ રહ્યું છેપ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારે અંબાજીમાં અધિકારીઓની સાથે શ્રેણીબદ્ધ મીટિંગો કરીરીંછડિયા મહાદેવ અને તેલિયા ઇકો ટ્રેલના વિકાસકાર્યોની પણ સમીક્ષા કરીને જરૂરી નિર્દેશો આપવામાં આવ્યાAmbaji, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના હાઈ પ્રાયોરિટી એટલે કે ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવાના એક નવા ઉપક્રમનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના આ જ ઉપક્રમને હવે ઉચ્ચ અધિકારીઓએ પણ અપનાવવાનું શરૂ કર્યું છે. આ જ ક્રમમાં પ્રવાસન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્ર કુમારે પ્રસિદ્ધ યાત્રાધામ…

Read More

પતિ લીગલ ઓથોરિટીમાં રૂપિયા જમા કરાવે ત્યારબાદ ફરિયાદ રદ થશેપતિ ઇચ્છતો હતો કે પત્ની પરત આવે, પરંતુ પત્ની તેમ કરવા માગતી ન હોવાથી તેને બદનામ કરવા પતિએ વીડિયો વાયરલ કર્યા હતાઅમદાવાદ , પત્નીના અંગત પળોના વીડિયો વાયરલ કરનારા પતિને હાઇકોર્ટે રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યાે છે. આ રૂપિયા ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટી સમક્ષ એક અઠવાડિયામાં જમા કરાવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ રૂપિયા જમા થયા બાદ જ સંબંધિત મામલે થયેલી ફરિયાદ રદ કરવામાં આવશે. વડોદરા રહેતા એક પતિએ હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી હતી અને તેની સામે તેના જ પત્નીએ કરેલી ફરિયાદ રદ કરવાની દાદ માગી હતી.જેમાં એવો દાવો કરવામાં આવ્યો…

Read More

World Breastfeeding Week: બાળકના જન્મથી લઈને છ મહિના સુધી માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. પરંતુ જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવા બાળકો અને આરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂઘને સીધું ગ્રહણ કરવા સક્ષમ નથી હોતા તેવા બાળકોને બીજી માતા પરોક્ષ માતા તરીકે અમૃતરૂપી દૂધ આપી શકે તેના માટે ‘હ્યુમન મિલ્ક બેન્ક આશીર્વાદ સમાન હોય છે. ગુજરાતમાં કાર્યરત્‌ ‘મધર મિલ્ક બેન્કમાં અત્યાર સુધીમાં 21,357 માતાઓ દ્વારા અમૃતરૂપી દૂધનું દાન કરાયું છે, જેનો અંદાજે 19,731 બાળકોને લાભ અપાયો છે. માતાએ પોતાના દૂધનું દાન કરતાં 19731 બાળકોને નવજીવન ગુજરાતમાં દર વર્ષે અંદાજે 13 લાખ બાળકોનો જન્મ થાય છે જેમાંથી…

Read More

રાજકોટના ઔદ્યોગિક વિસ્તારોમાં ગુનાખોરી બેફામ બનીથોરાળા પોલીસને મીરા ઉદ્યોગનગરના ખુલ્લા પ્લોટમાંથી એક ૩૫ વર્ષના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવીરાજકોટ, રાજકોટના ઔદ્યોગિક વિસ્તારોમાં ગુનાખોરી બેફામ બની છે. થોરાળા અને મેટોડા વિસ્તારમાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે યુવકોની હત્યા થતાં સનસનાટી મચી ગઈ છે.થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના મીરા ઉદ્યોગનગરના ખુલ્લા પ્લોટમાંથી એક ૩૫ વર્ષના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. પોલીસે જણાવ્યું છે કે યુવકના માથામાં પથ્થર મારીને તેની હત્યા કરવામાં આવી છે.ચોંકાવનારી વાત એ છે કે મૃતકનું પેન્ટ અડધે સુધી ઉતરેલી હાલતમાં હતું. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે કદાચ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના ઈરાદે કે પછી તેવા કૃત્ય દરમિયાન…

Read More