Author: gujarat

SIR પ્રક્રિયા હેઠળ રાજ્યમાં ૧ ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતુંબિહાર, ચૂંટણી પંચે બિહાર બાદ હવે બંગાળમાં પણ મતદારોની યાદીમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની પ્રક્રિયા શરૂ કરી છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પત્ર લખી આ અંગે માહિતી આપી હતી. રાજ્યના ચૂંટણી પંચના અધિકારીઓને મતદારોની યાદી પર જીંઇની પ્રક્રિયા શરૂ કરવા આદેશ અપાયો છે.બિહારમાં મતદારોની યાદીનું પુનઃનિરીક્ષણનું કામ અંતિમ તબક્કામાં છે.SIR પ્રક્રિયા હેઠળ રાજ્યમાં ૧ ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.આ પ્રક્રિયા બાદ બિહારમાં આશરે ૬૫ લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરાશે. જેમાં મોટાભાગના મતદારો મૃત્યુ પામ્યા છે. બાકીના એવા મતદારો સામેલ…

Read More

‘નારી વંદન ઉત્સવ‘ સપ્તાહ: અમદાવાદ જિલ્લોજિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કંચનબહેન વાઘેલા દ્વારા મહિલાઓને પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા માટે સન્માનિત કરવામાં આવ્યામહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તીકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 01 થી 08 ઓગસ્ટ, 2025 સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. નારીશકિત માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયભરની મહિલા અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવે છે.આ અંતર્ગત અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે…

Read More

સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ અને નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની પ્રાચીન સભ્યતા, વિરાસત અને ભવ્ય વારસાનું સંવર્ધન થઈ રહ્યું છે :- સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજય પાલિવાલજિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર અને ગ્રામ્ય)ના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન‘વિશ્વ સંસ્કૃત દિન’ની ઉજવણીના ઉપલક્ષ્યમાં અમદાવાદમાં ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ હતી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર અને ગ્રામ્ય)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’માં સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજય પાલિવાલ ઉપસ્થિત રહ્યા હતા.સંસ્કૃત ગૌરવ યાત્રામાં શાળાના…

Read More

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે ગુરુવાર, 7 ઓગસ્ટના રોજ આસારામ બાપુના વચગાળાના જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા. આસારામ બાપુને 2013ના બળાત્કાર કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. અગાઉ, 3 જુલાઈના રોજ, હાઈકોર્ટે તેમને એક મહિનાના જામીન આપ્યા હતા. તે સમયે, આસારામના વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ જામીન લંબાવવા માટે વધુ કોઈ માંગણી કરશે નહીં. હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભવિષ્યમાં તબીબી કારણોસર જામીન અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. આ બધા છતાં, આસારામ બાપુએ ફરીથી જામીન લંબાવવા માટે અરજી કરી છે. આ અરજી તેમણે પોતાની સજા…

Read More

આ મામલે મહિલા કોન્સ્ટેબલે બન્ને સામે ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે તેમની ધરપકડ કરી છેઅમદાવાદ , એરપોર્ટ પોલીસ મથકમાં દાખલો લેવા આવેલા યુવક-યુવતીએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝઘડો કર્યાે કરી ગાળો ભાંડી હતી. બન્નેએ મહિલા કોન્સ્ટેબલને માર માર્યાે હતો. આ મામલે મહિલા કોન્સ્ટેબલે બન્ને સામે ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે તેમની ધરપકડ કરી છે. એરપોર્ટ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે લીલાબહેન વસરામભાઇ ફરજ બજાવે છે.તેમનું કામ મિસલેનિઅસ (પ્રકીર્ણ) ટેબલ પર હોય છે. આજે સવારે લીલાબહેન ફરજ પર હાજર હતા ત્યારે બપોરે ૧૨ના સુમારે હીમાક્ષીબહેન સુરેન્દ્રસિંહ વાઘેલા (ઉં.વ. ૨૨, રહે. કલોલ) અને ઓમ સંજયકુમાર શ્રીવાસ્તવ (ઉં.વ.૨૩, રહે. કલોલ) આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે,…

Read More

Family threat and honor killing case : ગુજરાતની ઇમેજ આખા દેશમાં એક અલગ જ પ્રકારની છે તેવામાં જો આવી ઘટના બને તો આખું ગુજરાત શર્મસાર થાય તે હકીકત છે. ગુજરાતમાં હાલમાં જ એક ઓનર કિલિંગની એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. પ્રેમમાં પડ્યા પછી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી છોકરીની તેના પિતાએ તેના ભાઈ સાથે મળીને હત્યા કરી હતી. એટલું જ નહીં, બંને આરોપી ભાઈઓએ પુરાવાનો નાશ કરવા માટે પુત્રીની હત્યા કર્યા પછી રાતોરાત તેના અગ્નિસંસ્કાર પણ કર્યા હતા. ત્યારબાદ છોકરીના પ્રેમીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને સામે કેસ નોંધ્યો હતો. તપાસ બાદ પોલીસે હવે પિતા અને તેના ભાઈની ધરપકડ કરી…

Read More

ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળતાં રહસ્ય ઘેરાયુંઆ મામલે પોલીસે હાલ, મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આ આપઘાત છે કે હત્યા તેનો ભેદ ઉકેલવા માટે તપાસ હાથ ધરી છે નવી દિલ્હી, ગુજરાતમાં અસામાજિક તત્ત્વોનો આતંક દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. એમાં પણ અમદાવાદ જેવા શહેરોમાં ફાયરિંગ અને ઘાતક હથિયારો લઈને ફરતા ગુંડાઓના સમાચાર જાણે સામાન્ય બની રહ્યા છે. એવામાં શહેરમાંથી વધુ એક ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના બોપલ વિસ્તારમાં અજાણ્યા યુવકો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.જોકે, હત્યાએ પોલીસને ગોથે ચઢાવી છે. કારણ કે, મૃતકના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ…

Read More

મુંબઈ, 04 ઓગસ્ટ, 2025– કોનપ્લેક્સ સિનેમાસ લિમિટેડ (કોનપ્લેક્સ,ધ કંપની) એક મનોરંજન કંપની છે જે લક્ઝરી પર ધ્યાન કેન્દ્રિત કરીને સિનેમા ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી રહી છે, તેણે 7 ઓગસ્ટ,2025ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે,જેનો હેતુ એનએસઇઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારા 51,00,000 ઇક્વિટી શેરના નવા ઇશ્યુના માધ્યમથી₹90.27 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર) એકત્ર કરવાનો છે.આ ઇશ્યુની સાઇઝ પ્રતિ શેર₹168 – ₹177ના પ્રાઇઝ બેન્ડ સાથે પ્રત્યેક₹10ના અંકિત મૂલ્ય પર51,00,000ઇક્વિટી શેરની છે.ઇક્વિટી શેરની ફાળવણીઆ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ કોર્પોરેટ ઓફિસની ખરીદી,એલઇડી સ્ક્રીન્સ અને પ્રોજેક્ટર્સની ખરીદી,કાર્યકારી મૂડીની જરૂરિયાત અને સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટે મૂડી ખર્ચની જરૂરિયાત માટે કરવામાં આવશે. એન્કર…

Read More

આ અંગે યુવતીએ કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે અમદાવાદ, શહેરના કૃષ્ણનગર વિસ્તારમાંથી યુવતીને પોલીસ તરીકે ઓળખ આપી અજાણી જગ્યાએ લઇ ગયા બાદ શખ્સે ૬ લાખના દાગીના લૂંટી લીધા હતા. ત્યારબાદ તે ત્યાંથી પલાયન થઇ ગયો હતો. આ અંગે યુવતીએ કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે.શહેરના સરદારનગર વિસ્તારમાં ૨૯ વર્ષિય મોના(ઓળખ છૂપાવવા નામ બદલ્યું છે) રહે છે. મોના મૂળ જોધપુરની છે અને અઠવાડિયાથી કામ માટે પતિ સાથે અમદાવાદ આવેલી છે. ૨ ઓગસ્ટના રોજ બપોરે અઢી વાગ્યાની આસપાસ મોના ઠક્કરનગર ચાર રસ્તા પાસે આવેલી હોટલમાં…

Read More

ભારતીય ગૌરવના પુનઃ સ્થાપક પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાંસોમનાથ તીર્થનું સાંસ્કૃતિક પુનઃપ્રતિષ્ઠાનસોમનાથ, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શનમાં સોમનાથમાં પ્રતિવર્ષ કરોડો યાત્રીઓને ઉત્તમ રેલ,બસ નેટવર્ક,ન્યૂનતમ દરે ઉત્તમ આવાસ,અને નિશુલ્ક ભોજન પ્રસાદ સાથે આદરપૂર્ણ દર્શન અને પ્રેમપૂર્ણ આતિથ્યનો વિશ્વસ્તરીય અનુભવ મળી રહ્યો છે. વિશેષ રૂપે શ્રાવણ ૨૦૨૫માં જ્યારે લાખો ભક્તો સોમનાથમાં દર્શન,જપ,તપ અને પાઠ કરી મહાદેવને પ્રસન્ન કરવા ભક્તિ કરી રહ્યા છે ત્યારે આ સ્થળે દેશભરમાંથી આવનાર કલાકારો પોતાની નૃત્ય આરાધના પ્રસ્તુત કરી રહ્યા છે. આ સુભગ સમન્વયથી સોમનાથમાં સાંસ્કૃતિક અને કલાત્મક ચેતનાની પુનઃસ્થાપના થઈ રહી છે.પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘ દ્રષ્ટિથી સોમનાથની…

Read More