Author: gujarat

હવે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતું ખોલાવવા રાજ્યની ૧૪,૬૧૦ ગ્રામ પંચાયતમાંVCEમદદરૂપ થશેપ્રધાનમંત્રી જન ધન હેઠળ ખાતું ખોલાવવાથી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા અને અટલ પેન્શન યોજનાનો લાભ લઇ શકાશેવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના દરેક નાગરિક માટે વિવિધ બેન્કિંગ સેવાઓની સાર્વત્રિક સુવિધા સુનિશ્ચિત કરવા માટે સૌ પ્રથમ પ્રધાનમંત્રી જન ધન યોજના-PMJDYહેઠળ ઝીરો બેલેન્સથી બેંક ખાતું ખોલાવાના અભિયાનનો દેશભરમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં અત્યારસુધીમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાંPMજન ધન યોજના હેઠળ વિક્રમજનક કુલ ૧.૯૪ કરોડથી વધુ બેંક ખાતા ઝીરો બેલેન્સથી ખોલીને શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા સામાન્ય નાગરિકને બેન્કિંગ સુવિધા સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો…

Read More

સુરતની ૧૮ સુમન શાળાઓમાં મનપાનો પાઇલોટ પ્રોજેક્ટ ટેક એજ્યુકેશન માટેની પ્રેરક પહેલ‘સુરતની સુમન શાળાના વિદ્યાર્થીઓ બની રહ્યા છે ટેક્નો-સ્ટાર્સ: સ્માર્ટ ક્લાસમાં મેળવે છેAI,ડ્રોન અને રોબોટિક્સ ટેકનોલોજીનું નોલેજરક્ષા ક્ષેત્રે,કૃષિ,હેલ્થકેર,મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનો વિશેષ ઉપયોગ૧૨ AI લેબ્સમાં ૧૧,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ટેક શિક્ષણ: 3D, AR/VRઅનેAIહવે અભ્યાસનો હિસ્સો સુરત, આધુનિક સમય સાથે તાલ મિલાવી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નવા આયામો ઉમેરાઈ રહ્યા છે. નવી શિક્ષણ નીતિ અનુસાર રાજ્ય સરકારે સ્માર્ટ શિક્ષણને પ્રાધાન્ય આપી ટેક્નોલોજી અને ઈનોવેશનનો સમન્વય સાધી શાળાઓમાં સ્માર્ટ શિક્ષણને ગતિ આપી છે.ગુજરાતના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરોમહાનગરપાલિકા સંચાલિત ધો.૯ થી ૧૨ સુમન માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્ય. શાળાઓમાં 3D,…

Read More

‘રક્ષાબંધન’ નિમિતે બાળકો ઘરની વસ્તુઓનો ઉપયોગ કરી ‘ઇકો ફ્રેન્ડલી રાખડી’ તૈયાર કરી શકે તે માટે ગીર ફાઉન્ડેશન દ્વારા ‘ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી’ યોજાઈભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા ‘રક્ષાબંધન’ પર્વ નિમિતે પર્યાવરણના જતનની સાથેસાથે ઘરમાં રહેલી વધારાની વસ્તુઓનો ઉપયોગ કરીને બાળકો ‘ઇકો ફ્રેન્ડલી’ રાખડી તૈયાર કરી શકે તેવા હેતુથી‘ગીર‘ફાઉન્ડેશન,ગાંધીનગરના ઉપક્રમે ઇન્દ્રોડા ખાતે ‘ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી’ યોજવામાં આવી હતી. જેમાં ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે આવેલા અંદાજે ૪૦ થી ૫૦ જેટલા બાળકો સહિત તેમના વાલીઓ અને યુવાનોએ પણ આ એક્ટિવિટીમાં સહભાગી થઇને અલગ અલગ પ્રકારની ઇકો ફ્રેન્ડલી સુંદર રાખડીઓ તૈયાર કરી હતી.નાગરીકોને સાતત્યપૂર્ણ જીવનશૈલી અપનાવવા,પર્યાવરણ પ્રત્યે સવાંદનશીલતા લાવવા અને‘મિશન લાઈફ‘ના ઉદ્દેશને સાકાર કરવા…

Read More

દરિયાના ભરતીના સમયે, સમુદ્ર પોતાના જળથી શિવલિંગનો જળાભિષેક કરે છે. આ અજાયબી તથા ચમત્કારિક પ્રસંગ ભક્તોમાં વિશેષ આસ્થા પ્રગટાવે છેભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રાવણી સોમવારે મુખ્યમંત્રીએ દર્શન કર્યા-યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સ્તંભેશ્વરમાં યાત્રી સુવિધાના બે કરોડ રૂપિયાના કામો થયા છેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્જન અને યજ્ઞમાં આહૂતિ આપી હતી.ભરૂચ જિલ્લામાં વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂહર્ત કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ સ્તંભેશ્વર મહાદેવના દર્શનથી કર્યો હતો.તેમણે ભગવાન ભોળાનાથ પાસે સૌના કલ્યાણ અને રાષ્ટ્ર-રાજ્યની અવિરત પ્રગતિની પ્રાર્થના કરીને મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ વાતચીત કરી હતી અને યાત્રિકોને મંદિર દ્વારા થતા પ્રસાદ વિતરણમાં…

Read More

ભાવનગરટર્મિનસ-અયોધ્યાકેન્ટઉદ્ઘાટનએક્સપ્રેસનુંમહેસાણામાંભવ્યસ્વાગત કરાયુંહવે મહેસાણાના રહેવાસીઓ સોમવારે સાંજે આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે અને મંગળવારે અયોધ્યા પહોંચી શકશે,મંદિરના દર્શન કરી શકશે અને રાત્રે તે જ ટ્રેનમાં પાછા ફરી શકશે.માનનીય સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ અને ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી દ્વારા મહેસાણા સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી.આજે3ઓગસ્ટ2025ના રોજ ભાવનગર ટર્મિનસ –અયોધ્યા કેંટ એક્સપ્રેસ નો શુભારંભ માનનીય કેન્દ્રીય રેલ,સૂચના,તથા પ્રસારણ,ઇલેક્ટ્રોનિક તથા સૂચના ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ,માનનીય કેન્દ્રીય શ્રમ,રોજગાર,યુવા બાબતો અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા,તથા માનનીય રાજ્યમંત્રી ગ્રાહક બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણીયા,દ્વારા ભાવનગર ટર્મિનસ થી લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું…

Read More

હજુ પોતાની કારના આગલાં કાચ પર મોટા અક્ષરે “મેયર” લખેલું બોર્ડ ટીંગાડીને ફરે છે.-‘મેયર’ શબ્દ પહેલા માંડ માંડ વાંચી શકાય એવા ખૂબ જ ઝીણાં અક્ષરે ‘પૂર્વ’ શબ્દ લખ્યો છે!ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પક્ષનાં નેતા અને કાર્યકરોને ગાઈ વગાડીને કહે છે કે વી.આઈ.પી.કલ્ચરમાથી મુક્ત થાઓ.પણ એમાં પેલી જાણીતી કહેવત ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ જેવો ઘાટ થાય છે. તેનુ સીધું ઉદાહરણ પાટનગરના પૂર્વ મેયરે પુરૂં પાડ્‌યું છે. ગાંધીનગરના મેયરપદે તા.૨૦/૧૦/૨૦૨૧ થી જુન-૨૦૨૪ સુધી રહેલા હિતેશ મકવાણાને હજુ પણ તદ્દન કામચલાઉ રીતે મળેલા પોતાના પૂર્વ હોદ્દાનો મોહ છુટતો નથી.મકવાણા માત્ર ૩ વર્ષ (આચારસંહિતા લાગુ હોવાથી થોડા વધુ સમય સુધી) માટે મેયરપદે રહેલા.એ…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લામાં ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૪૬ કિલોમીટરના માર્ગનું ફોરલેન અને મજબૂતીકરણનું ખાતમુહૂર્ત કર્યું ભરૂચમાં એક જ દિવસમાં એકસાથે રૂ. ૬૩૭ કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો વિકાસ ઉત્સવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત અને વિઝનરી નેતૃત્વમાં દેશમાં વિકાસની રાજનીતિથી મોટું પરિવર્તન આવ્યું છે – ગુજરાતના વિકાસની ગતિ બમણી થઈ છે:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ Bharuch, મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના આમોદ-રોઝા-ટંકારીયા-મુલેરના ૪૬ કિ.મી.માર્ગને રૂ.૪૦૦કરોડના અંદાજિત ખર્ચે ફોરલેન અને મજબૂતીકરણના કામનું ઈ-ખાતમુહૂર્ત ભરૂચમાં સંપન્ન કર્યું હતું. આ રોડ ફોરલેન થવાના પરિણામે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે ભવિષ્યમાં દહેજ જવું વધુ સરળ બનશે અને ટ્રાફિક પરનું ભારણ પણ હળવું થશે.…

Read More

રામોલ– વટવા GIDC તરફ ખારીકટ કેનાલ પર આવેલ બ્રીજ જર્જરીત હાલતમાં હોવાથી અમદાવાદ પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામુંAhmedabad, અમદાવાદ શહેરનાં “જે” ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામોલ ચોકીથી વટવા GIDC તરફ મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપર બ્રીજ આવેલ હોય અને આ બ્રીજ હાલ જર્જરીત હાલતમાં છે. આ બ્રીજનાં નિર્માણને આશરે ૫૦ (પચાસ) વર્ષથી વધુ સમય થઈ ગયેલ છે.ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ,અમદાવાદ દ્વારા તજજ્ઞ પાસે બ્રીજની ચકાસણી કરાવતાં તજજ્ઞ દ્રારા આવેલ રીપોર્ટ મુજબ સદર બ્રીજ મોટા અને ભારે વાહનોની અવર-જવર માટે સલામત જણાઈ આવેલ નથી.જેથી ભારે તથા મધ્યમ પ્રકારનાં ભારવાહક તથા પેસેન્જર વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત/ડાયવર્ઝન કરવામાં આવે છે.શરદ સિંઘલ, IPS, I/C.પોલીસ કમિશનર, અમદાવાદ…

Read More

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડે સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે ‘યોજના પંચકમ્’ અંતર્ગત અમલમાં મૂકી છે પાંચ વિશિષ્ટ યોજનાઓસંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના હેઠળ વિવિધ સંસ્કૃત કાર્યક્રમો માટે સંસ્થાઓ, સંશોધકો અને શિક્ષકોને સંસ્કૃતના પ્રચાર માટે મળશે નાણાકીય સહાયસંસ્કૃત અંગે આપણે ત્યાં કહેવાય છે કે, ‘अमृतंसंस्कृतंमित्र,सरसंसरलंवच: ।एकता–मूलकंराष्ट्रे,ज्ञान–विज्ञान–पोषकम्।।’એટલે કે,આપણી સંસ્કૃત ભાષા સરસ પણ છે,અને સરળ પણ. સંસ્કૃત પોતાના વિચારો,પોતાના સાહિત્યના માધ્યમથી જ્ઞાન,વિજ્ઞાન અને રાષ્ટ્રની એકતાને મજબૂત બનાવે છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ ઉક્તિનો ઉલ્લેખ કરતાં લોકો વધુમાં વધુ સંસ્કૃત વાંચે અને તેનો અભ્યાસ કરે એ બાબત પર ભાર મૂક્યો છે. વિશ્વની સૌથી જૂની ભાષા કહેવાતી સંસ્કૃત ભાષા ભારતની ઋષિ-પરંપરા,દર્શન,આધ્યાત્મ અને સાંસ્કૃતિક ચેતનાની જીવંત…

Read More