Author: gujarat

દાહોદ, ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે મધ્ય રાત્રે પોલીસે એક કારનો પીછો કરતાં ચાલક તે બિનવારસી છોડીને ભાગી છુટ્યો હતો. આ કારની ડેકીમાંથી ૯ લાખથી વધુની કિંમતના ૩૦૩ કિલોથી વધુ અફીણના પોષડોડા મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આ ઘટના મામલે પોલીસે એનડીપીએસ મુજબ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.પેટ્રોલિંગમાં નીકળેલી ચાકલિયા પોલીસે ગુલતોરા ગામમાં જીજે-૨૩-બીએચ-૨૭૯૪ નંબરની ક્રેટા કારને શંકાના આધારે રોકવાનો સંકેત કર્યાે હતો. કાર ચાલક આગળ ધપાવી જઇને તેમાંથી ફરાર થઇ ગયો હતો. પરોઢના ૪.૩૫ વાગ્યાના અરસામાં ચાકલિયાથી દાહોદ રોડ ઉપર પાડવા ફળિયામાં આ કાર બિનવારસી મળતાં તપાસ કરવામાં આવી હતી.ત્યારે આ કારની ડેકીમાં મુકી રાખેલા ૧૭ થેલાઓમાંથી…

Read More

અમદાવાદ, મ્યુનિ.માં લગભગ આઠ વર્ષ બાદ પોતાનાં કહી શકાય તેવા એટલે કે મ્યુનિ.નાં જ અધિકારીઓમાંથી અને બહારનાં ઉમેદવારોમાંથી કુલ ત્રણ ડે.કમિશનરની ભરતી કરવામાં આવશે અને મહત્વની જગ્યાઓ ઉપર કોનો નંબર લાગશે તે બાબતે મ્યુનિ.વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઇ છે.મ્યુનિ.માં વર્ષાે અગાઉ મોટાભાગનાં ડે.કમિશનર તરીકે મ્યુનિ.નાં જ સિનિયર અને અનુભવી અધિકારીઓની નિમણૂંક કરાતી હતી.પરંતુ પ્રમોશન અને આર.આર. ઘડવાની માંગ સાથે થયેલાં કોર્ટ કેસ બાદ આખો મામલો ફરી ગયો હતો અને ડે.કમિશનરની નિમણૂંકની સત્તા રાજ્ય સરકાર હસ્તક થઇ ગઇ હતી.જોકે અમદાવાદને બાદ કરતાં અન્ય મહાનગરપાલિકાઓમાંથી વ્યાપક વિરોધ થતાં રાજ્ય સરકારે જે તે મહાનગરપાલિકામાં ડે.કમિશનરની શિડ્યુલ મુજબની જેટલી જગ્યા હોય તેમાંથી અમુક…

Read More

અમદાવાદ, પોશ વિસ્તારોમાંથી વાહનચોરી કરતા બે સગીરોને વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યા છે. સગીરો પાસેથી પોલીસે ૧૦ એક્ટિવા કબ્જે કર્યા હતા. પોલીસે તપાસ કરી ત્યારે આ સગીરો મોજશોખ માટે વાહનોની ચોરી કરતા હતા. ડુપ્લિકેટ ચાવીથી વાહનો ચોરી કરી ફેરવતા હતા અને પેટ્રોલ પૂરું થયા બાદ બિનવારસી મૂકીને નાસી જતા હોવાનું ખૂલ્યું છે.સગીરોએ સેટેલાઇટ, બોડકદેવ અને વસ્ત્રાપુરમાંથી ૧૦ એક્ટિવા ચોરી કર્યા હતા. વસ્ત્રાપુરના પી.આઇ. અને ડીસ્ટાફ પીએસઆઇની ટીમે વાહન ચોરી કરતા બે સગીરોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ તમામ લોકો પાસેથી ૧૦ એક્ટિવા કબ્જે કર્યા છે.સગીરોએ એક દોઢ મહિનાથી પોશ વિસ્તારોમાં વાહનો ચોરી કરીને આતંક મચાવ્યો હતો. આ સગીરો મોડીરાત્રે ફરીને મોજશોખ…

Read More

અમદાવાદ , ઓઢવ છોટાલાલની ચાલી પાસે કરિયાણાની દુકાનમાં વાઘબકરી ચાના ડુપ્લિકેટ લોગો અને માર્કા લગાવીને વેચવામાં આવી રહ્યા હતા. વાઘબકરી હાઉસની લીગલ ટીમે ઓઢવ પોલીસને સાથે રાખીને દુકાનમાં ચેકિંગ કરતા ડુપ્લિકેટ વાઘબકરી ચાના નાના મોટા થઈને કુલ ૧૧૭૫ પેકેટ મળી આવ્યા હતા.આ મામલે ઓઢવ પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરી છે.કૃષ્ણનગરમાં રહેતા જૈનમભાઈ શાહ (૩૨) પરિમલ ગાર્ડન પાસે વાઘબકરી હાઉસમાં લીગલ મેનેજર તરીકે નોકરી કરે છે.તેમની કંપની તરફથી વાઘબકરી ચાના લોગોવાળા પેકેટ વેચતા વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ગત રોજ જૈનમભાઈ અને બે કર્મીઓ કંપનીના કામથી ઓઢવ વિસ્તારમાં ફરતા હતા. ત્યારે ઓઢવ છોટાલાલની…

Read More

અંકલેશ્વર, અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી ૨૧ ફૂટ પર પહોંચી હતી. સરદાર સરોવર ડેમ માંથી બે દિવસમાં ૭ લાખ ક્યુસેક કરતા વધુ પાણી નર્મદા નદી માં ઠલવાયું છે. નર્મદા ડેમના ૫ દરવાજા ૫૪ કલાક બાદ બંધ થયા છે.ડેમ મહત્તમ ૧૩૩.૫૦ મીટર અને ગોલ્ડન બ્રિજ ૨૦.૯૨ ફૂટે સ્પર્શી પરત ફરી રહ્યા છે. ભયજનક સપાટીથી ૩ ફૂટ નીચે નર્મદા વહ્યા બાદ ધીમી ગતિ એ પાણી ઉતરવાની શરુ આત થઇ હતી. રવિવારે સાંજે ૪ કલાક નર્મદા ડેમની સપાટી ૧૩૨.૧૮ મીટર અને ગોલ્ડન બ્રિજ નદીની સપાટી ૨૦.૮૬ ફૂટ નોંધાઇ છે. ઉપરવાસમાંથી આવક માત્ર ૭૩૮૦૩, નદીમાં જાવક ૧.૪૫ લાખ ક્યુસેક થઈ છે.હાલ ૧૦ દરવાજા…

Read More

સુરત, સુરતમાં આવેલા સૈયદપુરા માછીવાડ પાછળની પીપળાવાળી ચાલમાં રહેતા અમિતા ઉર્ફે અનિતાબેન સરવૈયાની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપી પ્રકાશ નારણભાઈ પરમાર અને તેની માતા વાલીબેન પરમારને આજીવન કેદની સજા અને રૂ.૧૦,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.૧૯ ઓક્ટોબર, ૨૦૧૯ની રાત્રે અમિતાબેન તેમના ઘર નજીક અન્ય મહિલા સાથે હાજર હતા ત્યારે તેમના ઘરની સામે રહેતા પ્રકાશે બીડી પીધા બાદ તેનું ઠૂંઠુ અમિતાબેનની સામે ફેંક્યું હતું. આ બાબતે અમિતાબેને પ્રકાશને ઠપકો આપતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.ઝઘડો ઉગ્ર બનતાં પ્રકાશની માતા વાલીબેન પણ તેમાં જોડાયા હતા.ઝઘડામાં અમિતાબેનના સંબંધી જીતેન્દ્ર ઉપર ઈંટ ફેંકવામાં આવી એટલે ઝઘડો વધુ વકર્યાે હતો.પ્રકાશ અને વાલીબેને ઘરમાંથી ચપ્પુ લઈને…

Read More

હિંમતનગર, ઇડર તાલુકાના ગોલવાડા ગામની સીમમાં એક માલધારીને ગામના એક જ પરિવારના ૬ જણાએ ભેગા મળી લાકડીઓ અને કુહાડી વડે માર મારી હત્યા કરી હતી.આ અંગેની પોલીસ ફરિયાદ ઇડર પોલીસ મથકમાં નોંધાયા બાદ ચાર્જશીટ ઇડર કોર્ટમાં રજૂ કરાઇ હતી. જે અંગેનો કેસ ઇડરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે ૬ જણાને હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા તથા રૂ.૨૫ હજારનો દંડ ફટકાર્યાે હતો.ગત તા.૧૭-૧૦-૨૦૧૦ના સવારના સુમારે ગોલવાડા ગામના કલાબેન અને વિરમભાઇ માવજીભાઇ રબારી સાથે થયેલા ઝઘડાની અદાવત રાખીને ગોલવાડા ગામના હેમરાજભાઇ માલાભાઇ રબારી, અમૃતભાઇ સોમાભાઇ રબારી, રાજુભાઇ સોમાભાઇ રબારી, દિનેશભાઇ હેમરાજ રબારી, ભરત હેમરાજ રબારી, જયરામ હેમરાજ…

Read More

અમરેલી, ગીર જંગલમાં સિંહબાળના મોત મામલે વનમંત્રીએ જણાવ્યું છે કે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક ૯ સિંહબાળમાં ભેદી રોગની શંકા જણાતાં રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ પૈકી ત્રણ સિંહબાળનાં મોત થયાં છે. સત્તાવાર જણાવતા વનમંત્રી મુળુ બેરાએ વધુમાં કહ્યું હતુ કે બાકીના સિંહબાળને આઇસોલેશન પર રાખવામાં આવ્યા છે.વન વિભાગની ટીમને જાણ થઈ હતી કે કેટલાક સિંહબાળ શારીરિક નબળી હાલતમાં છે અને ચાલી પણ શકતા નથી. જાફરાબાદ રેન્જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને સ્કેનિંગ કરતાં સિંહબાળ ગ્રૂપની હાલત અતિનાજુક જણાઈ હતી. તેઓનું તાત્કાલિક રેસ્ક્યુ-ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ સિંહબાળનાં શંકાસ્પદ રીતે…

Read More

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે ‘નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ‘ અંતર્ગત યોજાયેલી તાલીમમાં ઉપસ્થિત રહ્યાઅમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે પ્રાકૃતિક કૃષિના ‘નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ’ અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્ર, સાબરમતી ખાતે નોન મિશનના સી.આર.પી. અને કૃષિ સખી તાલીમમાં ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તાલીમમાં ઉપસ્થિત રહી ખેડૂતો અને મિશન સ્ટાફની સાથે પ્રાકૃતિક કૃષિ ઉપર વિગતવાર ચર્ચા કરવા ઉપરાંત સી. આર.પી. અને કૃષિ સખીને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તદુપરાંત, જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આત્માના સ્ટાફ સાથે બેઠક યોજી હતી જેમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સહિત અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ બગાયત નિયામકશ્રી અને અન્ય અધિકારીગણ ઉપસ્થિત…

Read More

ટ્રમ્પના ટેરિફ સામે ભારતનો જડબાતોડ જવાબ -૯૨ દેશ પર નવા ટેરિફની યાદી જાહેર – ભારત પર લદાયેલો ૨૫% અમેરિકી ટેરિફ ૭ દિવસ ટળ્યો(એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ પછી, બંને દેશો વચ્ચેના વેપાર અને વ્યૂહાત્મક સંબંધોમાં સંઘર્ષ જોવા મળ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે ભારતે અત્યાર સુધી અમેરિકા સાથે ઓછો વેપાર કર્યો છે. તેમણે આ માટે ભારતની ઊંચી આયાત ડ્યુટીને જવાબદાર ઠેરવી છે. આ દરમિયાન, ભારતે અમેરિકા પાસેથી F35 ફાઇટર જેટ ખરીદવા સંબંધિત સોદો મોકૂફ રાખ્યો છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત ૯૨ દેશ પર નવા ટેરિફ લાદ્યા છે. આ…

Read More