વડોદરા, વડોદરા જિલ્લાના વાઘોડિયામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનના આપઘાતથી ચકચાર મચી છે. નર્સ તરીકે ફરજ બજાવતી તેમની પત્ની બપોરે ઘરે આવતાં કોન્સ્ટેબલ પતિના આપઘાતની જાણ થઈ હતી.જો કે, આપઘાતનું કોઇ જ કારણ બહાર આવ્યુ ન હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાઘોડિયામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા (૩૨) (રહે. અસાર, તા. કવાંટ, જી. છોટાઉદેપુર) ૨૦૧૭માં પોલીસમાં ભરતી થયા બાદ પાદરા, ડેસર અને છેલ્લા બે વર્ષથી વાઘોડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ રજા પર હતા.આજે કોઈક કારણસર તેમણે વાઘોડિયા માડોધર રોડ વિસ્તારમાં આવેલી રણછોડજી પાર્ક સોસાયટીના મકાનમાં પંખાના હૂક સાથે ઓઢણી વડે ગાળિયો બનાવી આપઘાત…
Author: gujarat
અમદાવાદ, અમદાવાદમાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં કોઈ અન્ય નહીં પરંતુ, એએમસીના સરકારી વાહન દ્વારા રાહદારીઓને અડફેટે લેવામાં આવ્યા હતા. પૂરપાટ ઝડપે આવતી ગાર્બેજ કલેક્શનની ગાડીએ ૭ થી ૮ લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક ૫૦ વર્ષીય આધેડનું મોત નિપજ્યું છે. આ સિવાય બાળકો સહિત ૭ લોકો ઈજાગ્રસ્ત થયા છે.મળતી માહિતી મુજબ, અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના ગાર્બેજ કલેક્શન કરતા વાહને વહેલી સવારે ૨ થી ૩ વાહનોને તેમજ ત્યાંથી પસાર થતા રાહદારીઓને અડફેટે લીધા હતા.પૂરપાટ ઝડપે આવતા આ વાહનની અડફેટે ૭ થી ૮ જેટલા લોકો આવ્યા હતા. જેમાંથી ૧ વર્ષીય આધેડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ…
અંકલેશ્વર, ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કર્સ તરીકે કામગીરી કરતી ૩૫થી વધુ બહેનો પર કોઈ ત્રાસદાયક વ્યક્તિ દ્વારા વીડિયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેના કારણે બહેનોમાં ભયનો માહોલ ઊભો થયો છે અને કેટલીક બહેનોને પારિવારિક વિખંડનનો સામનો કરવો પડ્યો છે.આ મામલે આંગણવાડી સંગઠનના પ્રમુખ દ્વારા સ્થાનિક પોલીસમાં જાણ કરી, સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આંગણવાડી બહેનો બાળકો માટે પોષણ, શિક્ષણ, આરોગ્ય માર્ગદર્શન અને સંચાલનનું કાર્ય કરે છે. ભરૂચ જિલ્લામાં કુલ ૧૫૦૦ બહેનો કાર્યરત છે.આ પૈકી ભરૂચ, ઝઘડીયા, નેત્રંગ અને વાલીયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા…
જયશંકર સુંદરી ઓડિટોરિયમનું રીનોવેશન કરવામાં આવશે- દેવાંગ દાણી(પ્રતિનિધિ)અમદાવાદ , અમદાવાદ મ્યુનિસિપલ ભાજપ માટે નાગરિકો અને તેમની સુખાકારી અત્યંત મહત્વના છે. નાગરિકો તેમના પ્રશ્નો ની રજુઆત કરવા માટે આવે ત્યારે અધિકારીઓ ઓફિસમાં હાજર રહે તે જરૂરી છે. આ ઉપરાંત જયશંકર સુંદરી હોલ નું રીનોવેશન કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ અંગે વધુ માં જણાવ્યું હવે ડે. કમિશનર સહિત તમામ અધિકારીઓએ દરરોજ સવારે ૧૧ થી ૧ કલાકે ઓફિસમાં રહેવું ફરજિયાત રહેશે, જેથી નાગરિકો સીધી રજૂઆત કરી શકે.આગામી રક્ષાબંધન તહેવારની ભેટ તરીકે, એએમટીએસ અને બીઆરટીએસમાં મહિલાઓ માટે મફત મુસાફરીની પણ જાહેરાત કરાઈ છે, જે માટે અલગથી બજેટ…
(એજન્સી)ગાંધીનગર, રાજ્ય સરકાર રમતગમત માટે ખૂબ ભાર આપી રહી છે. રમતવીરો તૈયાર કરવા માટે રાજ્ય સરકાર ખેલ મહાકુંભ સહિતના કાર્યક્રમો આપીને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેના કારણે હવે રમતગમત ક્ષેત્રમાં ગુજરાત આગળ આવી રહ્યું છે.એટલું જ નહીં ગુજરાતમાંથી અનેક રમતવીરો સતત પ્રતિભાઓ અને ક્ષમતાઓ બહાર આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રમતવીરો માટે સતત પ્રયત્નશીલ રહે છે. જેના ભાગરૂપે હવે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો ગુજરાતના આંગણે રમાય તો નવાઈ નહીં. મળતી માહિતી અનુસાર આજે આંતરરાષ્ટ્રીય કોમનવેલ્થ ફેડરેશનના સભ્યોએ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાત મુલાકાત સમયે રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાથે પણ મુલાકાત કરી હતી.મહત્વનું છેકે આગામી કોમનવેલ્થ…
દરેક ઝોનમાં બે એડીશનલ ઈજનેર રહેશે: દેવાંગ દાણી(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વસ્તી અને વિસ્તાર સતત વધી રહયા છે જેના કારણે નાગરિકોને ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા જેવી સુવિધાઓ આપવાની રહે છે.મ્યુનિ. કોર્પોરેશનમાં હાલ ઈજનેર વિભાગમાં સ્ટાફની અછત હોવાથી આવી પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ કરવામાં વિલંબ થાય છે જેને કારણે નાગરિકો ત્રાહિમામ થતાં હોય છે અને મ્યુનિ. વહીવટી તંત્ર તથા સત્તાધારી પક્ષની સામે પણ આંગળી ચીંધાતી રહે છે.આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે આશયથી કોર્પોરેશનમાં પાણી-ડ્રેનેજ વિભાગમાં જુદી જુદી કક્ષાએ કુલ ૬૩ અધિકારીઓને ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ નાગરિકોની મુખ્ય ફરિયાદો પાણી અને ગટર…
આ યાત્રામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ.હિતેશ પટેલ ઉપસ્થિત રહી ચાર વેદોનું પૂજન કરી શંખનાદ સાથે ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતુંડીસા, સંસ્કૃત ભાષાને વધુ લોકપ્રિય બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યભરમાં ૦૬ ઓગસ્ટ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉપક્રમે બનાસકાંઠા સંસ્કૃત શિક્ષણ પરિવાર દ્વારા ડીસા અર્બુદા વિદ્યાલય થી લઈને સરદાર બાગ સુધી જિલ્લા કક્ષાની ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ હતી. આ યાત્રામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ.હિતેશ પટેલ ઉપસ્થિત રહી ચાર વેદોનું પૂજન કરી શંખનાદ સાથે ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.આ ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’માં ટેબ્લોના માધ્યમથી પ્રતિકૃતિ…
મહુવામાં BAPS દ્વારા હરતું ફરતું દવાખાનું શરૂ કરાયું -ફરતું દવાખાનું, આરોગ્ય કેમ્પો અને મોબાઇલ ચેકઅપ વાન જેવી સેવાઓ ખૂબ ઉપયોગી સાબિત થાય છેભાવનગર, ભાવનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિર અને BAPS ચેરિટીઝ દ્વારા મેડિકલ મોબાઈલ વાન શરૂ કરવામાં આવી છે. આ સેવા મહુવા અને આસપાસના ૯૦ ગામોમાં મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.આજના સમયમાં આરોગ્ય સેવાઓની વિસ્તૃત જરૂરિયાત ઊભી થઈ છે. દવાઓના ઊંચા ખર્ચ, હોસ્પિટલોની પહોંચ અને માહિતીની અછતને કારણે ઘણા લોકો યોગ્ય સારવાર વિના જ જીવ ગુમાવે છે.આવી સ્થિતિમાં ફરતું દવાખાનું, આરોગ્ય કેમ્પો અને મોબાઇલ ચેકઅપ વાન જેવી સેવાઓ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સરકાર આયુષ્માન ભારત અને ‘મમતા યોજના’ જેવી અનેક…
બેંકના અધિકૃત એજન્ટોએ અન્ય થર્ડ પાર્ટી એજન્ટો સાથે મળીને કરોડોનો કાંડ કર્યુSBI બ્રાન્ચમાં ૧.૯૭ કરોડના લોન કૌભાંડમાં ૧૬ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે આ તમામ પર બોગસ દસ્તાવેજોને આધારે લોન મંજૂર કરાવવાના આરોપ છે-(એજન્સી) વડોદરા, વડોદરામાં કથિત રીતે બેંકના અધિકૃત એજન્ટોએ અન્ય થર્ડ પાર્ટી એજન્ટો સાથે મળીને ભારતની સૌથી મોટી એવી SBI બેંક સાથે કરોડોનો કાંડ કરી નાખ્યો છે. આ કૌભાંડનો મામલો છે વડોદરા શહેરમાં ઇલોરાપાર્ક ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચનો. જ્યાંના ચીફ મેનેજર યજ્ઞેશ પટેલે આ મામલે કુલ ૧૬ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.આ આખો કાંડ સમજવા માટે ખાસ કરીને ઇલોરાપાર્ક બ્રાન્ચની…
સુરતમાં દરરોજ ૨૫૦થી લધુ ઓપીડીના કેસ સામે આવી રહ્યા છે -થઈ ગયા છે આ દરમિયાન રોગચાળાના કારણે બે યુવાનોના મોતની ખબર પણ સામે આવી છેડાયમન્ડ સિટીમાં રોગચાળો વધ્યો-એક બેડ પર બે બાળકોને સુવડાવવાની ફરજ પડીસુરત, બદલાતા વાતાવરણને લઈને રાજ્યભરમાં રોગચાળો વધ્યો છે. અમદાવાદ, જામનગર, વડોદરા જેવા જિલ્લાઓમાં પણ આ જ સમસ્યા જોવા મળી રહી છે એવામાં સુરતમાં તો જાણે રોગચાળાએ ભરડો લીધો છે.ડાયમન્ડ સિટીમાં રોગચાળો એટલો વધ્યો છે કે, સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ પણ ખૂટી ગયા છે. જેના એક બેડ પર બે બાળકોને સુવડાવવાની ફરજ પડી હતી. ૨૦૦ બેડની વ્યવસ્થાવાળા બાળકોના વોર્ડમાં તમામ બેડ ફુલ થઈ ગયા છે. આ…
