Author: gujarat

ચડોતરુંના કારણે ૧૨ વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ૨૯ આદિવાસી પરિવારોની સ્વમાનભેર ઘરવાપસી (જી.એન.એસ) તા.17 પાલનપુર, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના ૨૯ કોદરવી પરિવારના ૩૦૦ જેટલા સભ્યોનું પુનર્વસન કરાયું હતું. આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુંના કારણે મોટા પીપોદરા ગામમાંથી ૧૨ વર્ષ પહેલા હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને કોદરવી પરિવારના ૩૦૦ જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા. ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના આ પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ યોજાયો હતો. મંત્રીશ્રી હર્ષભાઈ…

Read More

6 મહિનામાં ૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા: માનવ સંસાધન અને સમય ઉપરાંત ખુબ મોટી નાણાકીય બચત થઇ (જી.એન.એસ) તા.17 ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સમગ્ર ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે. પોલીસ, જેલ અને ન્યાયપાલિકાના સંકલનથી કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. રાજ્યની જેલોમાંથી મહત્તમ કેદીઓને નામદાર કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ (VC) સિસ્ટમ દ્વારા રજૂ કરવાની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેના પરિણામે પોલીસ વિભાગને…

Read More

(જી.એન.એસ) તા.17 પાટણ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાને શુક્રવાર, ૧૮મી જુલાઈએ ૧૧૦ કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે. સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુત પણ મુખ્યમંત્રીશ્રી સાથે સહભાગી થવાના છે. મુખ્યમંત્રીશ્રી પાટણ જિલ્લાના ગામોના આરોગ્ય કેન્દ્ર, શાળાના ઓરડાઓ તથા ડ્રેનેજ સિસ્ટમ, પુર સંરક્ષણ દિવાલ અને સાંતલપુર ખાતે નવી સરકારી આર્ટસ કોલેજ ભવન સહિત આરોગ્ય, શિક્ષણ, માર્ગ મકાન, સિંચાઈ અને શહેરી વિકાસ વિભાગના કુલ ૧૦૧ જેટલા કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવાના છે. કલ્યાણપુરાના ચામુંડા માતાજી મંદિર પરિસરમાં શુક્રવારે સવારે ૧૦ વાગ્યે યોજનારા આ કાર્યક્રમમાં તેઓ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના…

Read More

મેષ તમારો ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે તમે જાણે રઝળી પડ્યા છો એવું લાગશે. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. પ્રિયતમ આજે તમારી પાસે થી કંઇ માંગ કરી શકે છે પરંતુ તમે તે પૂરા કરી શકશો નહીં, જેના કારણે તમારો પ્રિયતમ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે. કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારૂં બુદ્ધિચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. વૃષભ આજના દિવસે આઉટડૉર રમતો તમને આકર્ષશે-ધ્યાન તથા યોગ…

Read More

પ્રધાનમંત્રી બિહારના મોતીહારી ખાતે 7,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે પ્રધાનમંત્રી દરભંગા ખાતે નવા સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઈન્ડિયા (STPI) અને પટના ખાતે STPIની અત્યાધુનિક ઇન્ક્યુબેશન સુવિધાનું ઉદ્ઘાટન કરશે (જી.એન.એસ) તા.17 પટના, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 જુલાઈના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ સવારે 11:30 વાગ્યે બિહારના મોતીહારી ખાતે 7,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને બપોરે 3 વાગ્યે દુર્ગાપુર ખાતે 5000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૭.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૬૩૪ સામે ૮૨૭૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૨૧૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૨૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૪૫ સામે ૨૫૨૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૧૬૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

One District One Product (ODOP) એવોર્ડ- ૨૦૨૪ (જી.એન.એસ) તા. 16 નવી દિલ્હી, One District One Product (ODOP) એવોર્ડ-૨૦૨૪ની માહિતી આપતા પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને ૧૪ જુલાઈ ૨૦૨૫ના રોજ નવી દિલ્હી ખાત યોજાયેલ કાર્યક્રમમાં One District One Product (ODOP) અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. ‘એક જિલ્લો, એક ઉત્પાદન\'(ODOP) પહેલનો ઉદ્દેશ દેશના તમામ જિલ્લાઓમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક જિલ્લાના વિશિષ્ટ ઉત્પાદનોને વિશ્વ કક્ષાએ એક આગવી ઓળખ મળે તે માટે DPIIT(Department of Promotion of Industry and Internal trade) ના સહયોગથી કુલ ૯૦…

Read More

ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું (જી.એન.એસ) તા. 16 વડોદરા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજરોજ મળેલી કેબિનેટ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગની કેટલીક મહત્વની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. જે અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીશ્રી ની સૂચનાને પગલે ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે રૂ. ૨૧૨ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. સામાન્ય સંજોગોમાં આવા પુલના કામો માટે ૧૮ માસની સમય મર્યાદા રાખવામાં આવતી હોય છે પરંતુ ગંભીરા બ્રિજના કિસ્સામાં વિભાગ કક્ષાએ વિગતવાર રીવ્યું કરીને પ્રજાને વહેલી સુવિધા પ્રાપ્ત થાય તે માટે આગામી ચોમાસા પહેલાં કામગીરી એટલે…

Read More

૩૬ પુલોને તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ અપાઈ નિરીક્ષણમાં જોખમી જણાઈ આવેલા કુલ 0૫ પુલોને સંપૂર્ણપણે બંધ અને ૦૪ પુલોને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયા (જી.એન.એસ) તા. 16 ગાંધીનગર, ભારે વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્યના વિવિધ માર્ગો અને પુલોના મરામત-સમારકામની કામગીરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપતા, રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે રાજ્યના વિશાળ નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત વિવિધ પુલોની પણ ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અહેવાલ મુજબ, ગુજરાતમાં ૧૭.૯૨…

Read More

(જી.એન.એસ) તા. 16 લખનૌ, ઉત્તર પ્રદેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન રેકેટના કથિત માસ્ટરમાઇન્ડ અને સ્વ-ઘોષિત ધર્મગુરુ ચાંગુર બાબા ઉર્ફે જમાલુદ્દીનએ બુધવારે તેમના પરના આરોપો પર પ્રતિક્રિયા આપતા દાવો કર્યો કે તેઓ નિર્દોષ છે અને તેમને કંઈ ખબર નથી. યુપી આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા તેમને તબીબી તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમણે આ ટિપ્પણી કરી. “હું નિર્દોષ છું. મને કંઈ ખબર નથી,” તેમણે તેમની સહાયક નસરીન સાથે ચાલતા મીડિયાને કહ્યું, જે કસ્ટડીમાં છે. ચાંગુર બાબાનું ધર્મ પરિવર્તન રેકેટ અને પૈસાનું ટ્રેલ ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા છંગુર બાબાની તેમના સહયોગી નીતુ, જેને નસરીન તરીકે પણ ઓળખવામાં…

Read More