ભારતીય ક્રિકેટ બોર્ડે બુધવારે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય T20 ટીમમાં પરત ફર્યા છે. કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ગિલ ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે તે ગુવાહાટીમાં રમાયેલી બીજી ટેસ્ટ અને વર્તમાન વનડે શ્રેણીમાં રમી શક્યો નહોતો. જોકે, બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ તરફથી અંતિમ મંજૂરી મળ્યા બાદ ગિલની ઉપલબ્ધતાની પુષ્ટિ કરવામાં આવશે. જ્યારે હાર્દિક પંડ્યા બે મહિનાની ઈજા બાદ વાપસી કરી રહ્યો છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 ડિસેમ્બરથી કટકમાં પાંચ મેચની T20 શ્રેણી શરૂ થશે. આ માટે બુધવારે ટીમની પસંદગી માટે પસંદગી સમિતિની બેઠક મળી હતી. સૂર્યકુમાર યાદવ ભારતના નિયમિત T20 કેપ્ટન છે. જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન અને યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગિલની ભાગીદારી, જોકે, તેની ફિટનેસ પર બીસીસીઆઈના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ની મંજૂરીને આધીન રહેશે. એશિયા કપ 2025ની ફાઈનલ અને ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચની સિરીઝમાં રમી ચૂકેલા પંડ્યા પણ મંગળવારે હૈદરાબાદમાં પંજાબ સામેની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચ દરમિયાન પોતાની ફિટનેસ સાબિત કર્યા બાદ ભારતીય ટીમમાં પરત ફર્યા હતા.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 ડિસેમ્બરથી કટકમાં પાંચ મેચની T20 શ્રેણી શરૂ થશે. આ માટે ટીમની પસંદગી માટે બુધવારે અહીં પસંદગી સમિતિની બેઠક યોજાઈ હતી. સૂર્યકુમાર યાદવ ભારતના નિયમિત T20 કેપ્ટન છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ કટકમાં રમાશે. આ પછી, મેચો 11 ડિસેમ્બર (ન્યુ ચંદીગઢ), 14 ડિસેમ્બર (ધર્મશાલા), 17 ડિસેમ્બર (લખનૌ) અને 19 ડિસેમ્બર (અમદાવાદ) ના રોજ યોજાશે.

