મર્યાદિત ઓવરના ક્રિકેટમાં નિષ્ણાત ઓપનર રુતુરાજ ગાયકવાડ ચોથા નંબર પર બેટિંગ કરતા પોતાની પ્રથમ મેચમાં સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. બીજી મેચમાં તેણે પોતાની લય પાછી મેળવી હતી અને શાનદાર સદી ફટકારી હતી. પોતાની પ્રથમ ODI સદી ફટકાર્યા બાદ, તેણે કહ્યું કે તેને તેની નવી ભૂમિકામાં એડજસ્ટ થવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.
શ્રેયસ અય્યરે વનડેમાં ચોથા નંબરે ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ મુંબઈના આ બેટ્સમેનની ઈજાને કારણે ટીમ મેનેજમેન્ટે ગાયકવાડને આ જવાબદારી સોંપી હતી અને તેણે દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડેમાં સદી ફટકારીને આ ભૂમિકા સારી રીતે નિભાવી હતી. જોકે ભારત આ મેચ ચાર વિકેટે હારી ગયું હતું.
ગાયકવાડે મેચ બાદ મીડિયાને કહ્યું, ‘મારા માટે આ સન્માનની વાત છે કે ટીમ મેનેજમેન્ટે ઓપનિંગ બેટ્સમેન પર વિશ્વાસ દર્શાવ્યો છે જે ચોથા નંબર પર પણ બેટિંગ કરી શકે છે. આ રીતે મેં મારી ભૂમિકા નિભાવી.
તેણે કહ્યું, ‘પ્રથમ 10 થી 15 બોલ રમવાની જ વાત છે અને તે પછી પણ પ્રક્રિયા એવી જ રહે છે.’

