ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ રાયપુરમાં રમાયેલી બીજી વનડેમાં ફરી એકવાર સસ્તામાં પેવેલિયન પરત ફર્યો છે. રાંચીમાં રમાયેલી પ્રથમ વનડેમાં પણ યશસ્વી વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો નહોતો. યશસ્વીને વનડેમાં વધુ તકો મળી નથી અને આ વખતે નિયમિત કેપ્ટન શુભમન ગિલ ઈજાગ્રસ્ત હોવાને કારણે તેને અંતિમ-11માં સ્થાન મળ્યું છે. જો કે, તે તેને મળેલી તકોનો લાભ ઉઠાવી શક્યો નથી અને સતત સસ્તામાં વિકેટ ગુમાવી રહ્યો છે. જોકે, વિપક્ષી ટીમોએ તેની એક કમજોરી પકડી લીધી છે અને તે સતત તેનો શિકાર બની રહ્યો છે.
રાયપુરમાં રમાયેલી બીજી વનડેમાં યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ 38 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. માર્કો જેન્સને તેને બાઉન્સર પર કેચ આઉટ કરાવ્યો હતો. જયસ્વાલે રોહિત સાથે પ્રથમ વિકેટ માટે 29 બોલમાં 40 રન અને વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 29 બોલમાં 22 રન જોડ્યા હતા. જોકે, યશસ્વીની નબળાઈ સામે આવી છે. યશસ્વી છેલ્લી 6 ઇનિંગ્સમાં પાંચ વખત ડાબા હાથના બોલર સામે આઉટ થયો હતો. તે ડાબા હાથના બોલર સામે સતત સંઘર્ષ કરી રહ્યો છે. યશસ્વી આફ્રિકન ફાસ્ટ બોલર માર્કો યાનસેન સામે માત્ર ચાર વખત આઉટ થયો છે.
બુધવારે બીજી વનડેમાં ભારત સતત 20મી વખત ટોસ હાર્યું અને દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.
ભારત: 1 યશસ્વી જયસ્વાલ, 2 રોહિત શર્મા, 3 વિરાટ કોહલી, 4 રુતુરાજ ગાયકવાડ, 5 કેએલ રાહુલ (કેપ્ટન, વિકેટકીપર), 6 વોશિંગ્ટન સુંદર, 7 રવિન્દ્ર જાડેજા, 8 કુલદીપ યાદવ, 9 હર્ષિત રાણા, 10 અર્શદીપ સિંહ, 10 પ્રદીપ સિંહ,

