અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે પાંચમો અને છેલ્લો દિવસ છે. આ મહોત્સવના ચાર દિવસમાં અંદાજે 9.75 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો હતો. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવનો આજે પાંચમો અને છેલ્લો દિવસ છે. ત્યારબાદ આજે મંત્રોત્સવ અને પુષ્પવર્ષા, શક્તિપીઠ પરિસરમાં શક્તિયાગ, ભજન મંડળો દ્વારા ભજન સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાશે.
અંબાજીની જુની કોલેજમાં ગઈકાલે રાત્રે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાણીતા ગાયક કીર્તિદાન ગઢવીએ સુંદર રજૂઆત કરી હતી. કીર્તિદાન ગઢવીના ગીતો અને ગરબાએ વાતાવરણને સુંદર બનાવી દીધું હતું અને લોકો ગરબાના તાલે નાચવા લાગ્યા હતા. અંબાજીમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
અંબાજીની જુની કોલેજમાં ગઈકાલે રાત્રે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાણીતા ગાયક કીર્તિદાન ગઢવીએ સુંદર રજૂઆત કરી હતી. કીર્તિદાન ગઢવીના ગીતો અને ગરબાએ વાતાવરણને સુંદર બનાવી દીધું હતું અને લોકો ગરબાના તાલે નાચવા લાગ્યા હતા. અંબાજીમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.