અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ ડો.મોહનજી ભાગવત દ્વારા તા. 8મી મેના રોજ ગુજરાતની મુલાકાતે છે. વડોદરા ખાતે તા. 8મીથી 12મી મે દરમિયાન યોજાનારા પશ્ચિમ ક્ષેત્રના ત્રીજા વર્ષના સંઘ શિક્ષા વર્ગમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે.
વડોદરામાં તા. 8 થી 12 મે દરમિયાન પશ્ચિમ ક્ષેત્ર એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના દ્વિવાર્ષિક સંઘ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગમાં આરએસએસના સરસંગચલના ડૉ. મોહન ભાગવતજી પણ ઉપસ્થિત રહેશે. મોહન ભાગવતજી વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાં માર્ગદર્શન આપશે. એટલું જ નહીં, ભાગવતજી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.