(જી.એન.એસ),તા.૨૫
ઉતરાખંડમાં ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બચાવવા ભારતીય સેનાથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો કામે લાગ્યા છે. શ્રમિકોને ટનલમાંથી કાઢવા માટે મશીનરીઓની પણ મદદ લેવાઈ રહી છે, ત્યારે અત્યાધુનિક મશીનરી ધરાવતી એલ એન્ડ ટી કંપનીના મશીન પણ નેશનલ હાઇવે નંબર 48થી ઉત્તરકાશી મોકલવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગ્રીન કોરિડોર બનાવી આ ભારે મશીનરી નવસારીમાંથી પસાર કરવામાં આવી હતી..
આ માટે નવસારી જિલ્લા પોલીસ અને ટ્રાફિક પોલીસે મહત્વની ભૂમિકા ભજવી હતી. ટ્રાફિકનું નિયમન કરીને આ મશીનરીને નેશનલ હાઈવે પરથી પસાર કરવામાં આવી હતી. બીજી તરફ ટનલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું હેવી ડ્રિલિંગ મશીન વલસાડમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના સ્થળ પરથી ઉત્તરકાશીના સિલ્ક્યારા સુધી મોકલાવવામાં આવ્યુ છે. જે માટે આ આ મશીન પ્રથમ સુરત લાવવામાં આવ્યુ હતુ, જે બાદ તેને ઉત્તરકાશી માટે રવાના કરવામાં આવ્યુ હતુ.