મોદી સરકારે કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો છે. કાયદા મંત્રાલયનું પદ મંત્રી કિરેન રિજિજુ પાસેથી લેવામાં આવ્યું છે. જો કે તેના સ્થાને હવે તેમને અન્ય મંત્રાલય અર્થ સાયન્સનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે કિરેન રિજિજુને કેન્દ્રીય કાયદા મંત્રીના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. હવે તેઓ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો હવાલો સંભાળશે.
અખબારી નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે રિજિજુના સ્થાને અર્જુન રામ મેઘવાલને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.
ભારતના રાષ્ટ્રપતિએ, વડા પ્રધાનની સલાહ મુજબ, કેન્દ્રીય પ્રધાન પરિષદમાં પ્રધાનો વચ્ચે નીચેના ખાતાઓની પુન: ફાળવણીનો નિર્દેશ કર્યો છે.
(i) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો પોર્ટફોલિયો કિરેન રિજિજુને સોંપવામાં આવ્યો છે.