મુંબઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેએ રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમણે તેમનો રાજકીય વારસો તેમની પુત્રી પ્રણિતીને સોંપ્યો છે. યુપીએ સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી રહી ચૂકેલા સુશીલ કુમાર શિંદેએ પોતે એક કાર્યક્રમ દરમિયાન આની જાહેરાત કરી હતી.
પ્રણિતી શિંદે 2024ની લોકસભા ચૂંટણી લડશે
પ્રણિતી શિંદે ત્રણ વખત સોલાપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે સુશીલ કુમાર સોલાપુર સીટથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. પોતાની પુત્રીનું નામ આગળ રાખીને સુશીલ કુમારે કહ્યું, ‘મારી પુત્રી 2024ની ચૂંટણી લડશે. જ્યાં પણ મારી જરૂર પડશે ત્યાં હાજર રહીશ. શિંદે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી તેમજ 2012માં કેન્દ્રીય ગૃહ મંત્રી અને મનમોહન સિંહ સરકારમાં ઉર્જા મંત્રી રહી ચુક્યા છે.