ડીસામાં જાહેર ચારા પર પ્રતિબંધ હોવા છતાં રખડતા ઢોર પર અત્યાચાર ચાલુ છે. તે સમયે ગાયત્રી મંદિરની સામે બે બળદ પોતાના શિંગડા વડે લડી રહ્યા હતા, જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. રખડતા ઢોરની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે, જેને નિયંત્રણમાં લેવા નાયબ કલેકટરે જાહેર ઘાસચારો પર પ્રતિબંધ મુકી દીધો છે, પરંતુ રખડતા ઢોરની સમસ્યામાં કોઈ ફેરફાર થયો નથી. જેમાં આજે ડીસા મધ્યે ગાયત્રી મંદિર સામે જાહેર માર્ગની વચ્ચોવચ બે બળદ પોતાના શિંગડા વડે લડી રહ્યા હતા જેના કારણે વાહન ચાલકો અને પસાર થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.