ડાકોર નગરપાલિકામાં દેખાઈ ગેરવહીવટ, સફાઈના અભાવે રોગચાળો ફેલાવાની ભીતિ
સવારના દસ વાગ્યા સુધી રોડ પર કચરો પડ્યો રહે છે, જેથી ગાયોને આ કચરો ઉઠાવવાની ફરજ પડે છે.
ડાકોરમાં અવારનવાર ચર્ચામાં આવતા યાત્રાધામ ડાકોર નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડથી ગાંધીજીની પ્રતિમા સુધી ઘણા દિવસોથી સવારે 10 વાગ્યા સુધી સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે યોગ્ય સફાઈના અભાવે વેપારીઓ અને વૈષ્ણવોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ડાકોર નગરપાલિકાનું તંત્ર યોગ્ય રીતે કામ કરે તેવી સ્થાનિક લોકોની માંગ છે.
બસ સ્ટેશનથી ગાંધીજીની પ્રતિમા સુધી જો સફાઈ કામદારોને જોઈતા સાધનો મળી શકતા નથી. જેના કારણે ડાકોર ગામમાં કચરાના ઢગલા જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી સફાઈ કામદારો પાસે કચરો ઉપાડવા માટે સાવરણી કે હાથની લાડુ પણ નથી. આવી સ્થિતિમાં સફાઈ કામદારોને પ્લાસ્ટિકની થેલીઓમાં કચરો ભરવાની ફરજ પડી રહી છે.
ડાકોરમાં કમળાનો રોગચાળો ફેલાયો છે. થોડા દિવસોમાં ચૈત્રી પૂર્ણિમા આવી રહી હોવાથી આવનારા ભક્તોને પણ તેની અસર થશે તેવું લાગી રહ્યું છે. શું રાજ્ય સરકાર આ માટે પગલાં લેશે? ગીરીશ ભાઈ આવનાર ભક્તો માટે વિચારવા જેવી સાચી વાત કહી રહ્યા છે. તેમનું એમ પણ કહેવું છે કે, છેલ્લા કેટલાક સમયથી મોડીરાત સુધી રોડ પર કચરાના ઢગલા જોવા મળે છે, જેના કારણે પ્રદુષણની સંભાવના છે.
ડાકોર નગરપાલિકાને ગુજરાત રાજ્ય સરકાર તરફથી લાખો રૂપિયાની ગ્રાન્ટ મળતી હોવા છતાં કામના નામે માત્ર પૈસા જ દેખાઈ રહ્યા છે.
ડાકોર નગરપાલિકાને દર વર્ષે લાખો કરોડોનો વેરો ભરવા છતાં ડાકોર નગરપાલિકાના રહીશોને કોઈપણ પ્રકારની સુવિધા મળતી નથી.