બે દિવસ પહેલા આવેલા જોરદાર વાવાઝોડાને કારણે ડીસા પંથકમાં ભારે નુકસાન થયું છે. જેમાં થેરવાડા, કંસારી, રાણપુર અને બાયવાડા સહિતના સાત ગામોમાં મોટા ભાગના થાંભલા ધરાશાયી થતાં વીજળી ગુલ થઇ હતી. 50 કલાક વીતી જવા છતાં વીજ પુરવઠો ચાલુ થયો નથી. આવી સ્થિતિમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. UGVCL દ્વારા આજથી અલગ-અલગ ટીમો બનાવીને લાઇન રિપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં થેરવાડા ગામમાં અનેક થાંભલા પડી ગયા હતા અને વાયરો પણ તૂટી ગયા હતા. આથી યુજીવીસીએલની ટીમે થાંભલો ઊભો કરીને ફરીથી નવી લાઇન નાખવાની કામગીરી શરૂ કરી હતી. જેથી જલ્દી વીજ પુરવઠો શરૂ થાય અને લોકોની મુશ્કેલીનો અંત આવી શકે.