ભારતના સ્થાપક ડો.બાબાસાહેબ આંબેડકરના 67મા મહાનિર્વાણ દિવસ નિમિત્તે પાટણ શહેરના બગવડ દરવાજા પાસે ભાજપ, કોંગ્રેસ અને આપ સહીત દલિત સમાજે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પાટણ શહેર અને તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ અને વિસ્તારના દલિત સમાજ સહિત ભાજપ, કોંગ્રેસ, આપ કાર્યકરો દ્વારા આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવવામાં આવ્યો હતો. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે તેમની સેવાને યાદ કરીને તેમના ડોક્ટર બાબા આંબેડકર અમર રહો બાબા સાહેબ અમર રહોના નારા ગુંજી ઉઠ્યા હતા.
આજે બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો.બાબા સાહેબના મહાનિર્વાણ દિવસ નિમિત્તે પાટણ જિલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન બગવાડા દરવાજાથી કરવામાં આવ્યું હતું.જે સિવિલ હોસ્પિટલ ચતુર્ભુજ બાગ હિંગલાચાચર જુનગંજ માર્કેટથી શરૂ થઈ સુભાષ ચોક થઈને બગવાડા દરવાજા ખાતે સમાપ્ત થયું હતું.