(GNS),28
પોરબંદર જિલ્લાના બરડા પંથકના ઇશ્વરીયા ગામમાં બાળકના અપહરણની ઘટના સાથે લવ જેહાદની વાત પ્રકાશમાં આવી હતી. ગામમાં રહેતા મુસ્લિમ શખ્સ દ્વારા આઠ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથક સહિત સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પોરબંદર જિલ્લાના બરડા પંથકના ઇશ્વરીયા ગામે રહેતા ભીમશી ભીમા પીપરોતરના આઠ વર્ષના પુત્ર રવિના અપહરણની ઘટના બની હતી. સવારે સાડા દસેક વાગ્યાના સુમારે રવિ શાળાએ જવા નીકળ્યો હતો ત્યારે ગામમાં રહેતા ઈકબાલ ઈસાક ધાવડે નામના મુસ્લિમ શખ્સે અન્ય એક ઈસમ સાથે મળીને રવિનુનું રોડ પરથી છરીના ઈશારે અપહરણ કર્યું હતું અને તેને બાઇક પર બેસાડી લઈ ગયો હતો. બનાવ અંગે પોરબંદર પોલીસને જાણ થતાં બગવદર PSI સહિતનો પોલીસ કાફલો ઇશ્વરીયા પહોંચી ગયો હતો અને બાળકના અપહરણ અંગે તપાસ શરૂ કરી હતી. જે બાદ જિલ્લા પોલીસ વડાએ જુદી-જુદી પાંચ જેટલી ટીમો બનાવી જિલ્લા તેમજ આજુબાજુના જિલ્લાઓને જોડતા માર્ગો પર નાકાબંધી કરીને સર્ચ શરૂ કર્યું હતું. ત્યાર બાદ આરોપીએ અપહરણ કરાયેલા બાળકના પિતાને ફોન કરીને કેટલીક માંગણીઓ કરી હતી, જે સંદર્ભે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી ઈકબાલને બાળક સાથે જામનગર જિલ્લાના લાલપુર ગામની સીમમાંથી પકડી પાડ્યો હતો. . અપહરણની ઘટના બાદ પોરબંદર પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને 12 કલાકથી પણ ઓછા સમયમાં બાળકને અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવવામાં સફળતા મળી હતી.
મોડી રાત્રે પોરબંદર પોલીસ બાળક અને આરોપીને પોલીસ અધિક્ષકની કચેરીએ લાવી હતી. જ્યાં બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, અપહરણની ઘટના પાછળ લવ જેહાદ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપી ઈકબાલ ઈસાક ધાવડે 40 દિવસ પહેલા અપહરણ કરાયેલ બાળકી રવિની મોટી બહેનનું અપહરણ કર્યું હતું. જે બાદ યુવતીને તેના પરિવારના સભ્યોએ આરોપીઓના ચુંગાલમાંથી છોડાવી હતી અને ત્યારબાદ તેના અન્ય જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા. છેલ્લા કેટલાક દિવસોથી જેનુ માણસ વિધર્મી યુવક ભીમશી પિપ્રોતરને મનદુ:ખમાં આવી ધમકીઓ આપતો હતો કે તું યુવતીને લઈ જઈને મને સોંપી દે, નહીંતર જાનથી મારી નાખીશ. જે બાદ આજે સવારે આરોપીઓએ અન્ય વ્યક્તિની મદદથી બાળકનું અપહરણ કર્યું હતું. આ પછી, ઘટનાને લઈને જિલ્લા પોલીસ વિભાગ સહિત વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી હતી અને કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બાળકના પિતા ભીમસી પિપ્રોત્રાએ બાળકને અપહરણકારોમાંથી સુરક્ષિત રીતે મુક્ત કરાવતા પોરબંદર પોલીસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર ઘટના સંદર્ભે બગવદર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે અપહરણ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.અપહરણમાં સંડોવાયેલા સહઆરોપીઓ હજુ પોલીસની પહોંચની બહાર છે.અપહરણકારોને કોણે મદદ કરી હતી. આ કેસ અને બાળકનું અપહરણ કરવાનું કારણ શું હતું?શું થયું તે અંગે પોલીસે કોઈ સ્પષ્ટતા કરી નથી.જો કે અપહરણની સાચી હકીકત આરોપીની પૂછપરછ બાદ જ બહાર આવશે.