રાજ્યમાં નર્મદા કેનાલમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે. જેમાં બનાસકાંઠામાં કેનાલમાં તિરાડ પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. દરમિયાન વાવના રામસરા પાસે નર્મદા કેનાલમાં 8 ફૂટનું ગાબડું પડ્યું છે. જેના કારણે ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ફરી વળ્યું છે.બનાસકાંઠાના રામસરા નજીકથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. નર્મદા માઈનોર કેનાલમાં 8 ફૂટનું ગાબડું પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કેનાલમાં ગાબડું પડતાં ખેતરમાં પાણી ફરી વળ્યા છે. જેમાં કેનાલની બાજુમાં આવેલા ખેતરમાં આવેલા 2 એકર જીરાના વાવેતરમાં પાણી ફરી વળ્યું છે.
કેનાલમાં ગાબડું પડતાં એક ખેડૂતે પોતાના 2 એકર ખેતરમાં ઉગાડેલા જીરાના પાકમાં પાણી વહી જતાં મોટું નુકસાન થયું હોવાની ફરિયાદ સામે આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલ પર નબળી ગુણવત્તાનું કામ થયું છે. સફાઈ કર્યા વિના કેનાલમાં ગાબડું પડ્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. થોડા દિવસો પહેલા લખતર-તરમણિયા રોડ પર આવેલી ડી-2 કેનાલમાં ગાબડું પડતાં હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને ખેતરોમાં જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો પાસેથી જાણવા મળ્યું હતું કે નર્મદા તંત્રને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા પેટા કેનાલો બનાવવામાં આવી છે, પરંતુ આ કેનાલોનું કામ અમુક જગ્યાએ નબળું પડી ગયું છે. કેટલીક જગ્યાએ અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ થાય છે તો અન્ય સ્થળોએ તંત્રના અધિકારીઓના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પહેલા લખતર-તરમણિયા રોડ પર ધાધામોચી નામની જગ્યા પાસે ડી-2 કેનાલમાં ગાબડું પડ્યું છે. જ્યાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
કેનાલમાં ગાબડું પડતાં એક ખેડૂતે પોતાના ખેતરમાં ઉગાડેલા 2 એકર જીરાના પાકમાં પાણી ફરી વળતાં ભારે નુકસાન થયું હોવાની ફરિયાદ પ્રકાશમાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલ પર નબળી ગુણવત્તાનું કામ થયું છે. સફાઈ કર્યા વિના કેનાલમાં ગાબડું પડ્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. થોડા દિવસો પહેલા લખતર-તરમણિયા રોડ પર ડી-2 કેનાલમાં ગાબડું પડતાં હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને ખેતરોમાં જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો પાસેથી જાણવા મળ્યું હતું કે નર્મદા તંત્રને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા પેટા કેનાલો બનાવવામાં આવી છે, પરંતુ આ કેનાલોનું કામ અમુક જગ્યાએ નબળું પડી ગયું છે. કેટલીક જગ્યાએ અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ થાય છે તો અન્ય સ્થળોએ તંત્રના અધિકારીઓના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પહેલા લખતર-તરમણિયા રોડ પર ધાધામોચી નામની જગ્યા પાસે ડી-2 કેનાલમાં ગાબડું પડ્યું છે. જ્યાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.