નવી દિલ્હી, 27 ડિસેમ્બર (A). છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 529 નવા કેસ નોંધાયા છે અને સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 4,093 નોંધાઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે આ જાણકારી આપી.
બુધવારે સવારે 8 વાગ્યા સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપને કારણે ત્રણ લોકોના મોત થયા છે.