જો કોઈ વ્યક્તિ જુસ્સાથી આવી ગુનાહિત પ્રવૃતિ કરે તો કોર્ટ તેને યોગ્ય સજા આપી સમાજમાં દાખલો બેસાડશે. લોકોને ખોટી રીતે હત્યા અથવા બળાત્કાર જેવા કૃત્યો કરતા રોકવા માટે, કોર્ટે આવા એક હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
અરવલી જિલ્લા સેશન્સ કોર્ટે હત્યાના ગુનામાં આરોપીઓ સામે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. વર્ષ 2022માં મેઘરજના બૈજ વિસ્તારના જંગલમાંથી એક બાળકીની લાશ મળી આવી હતી. આરોપી કિરણ મનોહરભાઈ ભગોરાએ યુવતીની હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દીધી હતી, આ અંગે મેઘરજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ કરી હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આ કેસ મોડાસા નામદાર જિલ્લા સેશન્સ કોર્ટમાં ચાલી જતાં આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કરાયો હતો.
અરવલી જિલ્લા સેશન્સ કોર્ટે હત્યાના ગુનામાં આરોપીઓ સામે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. વર્ષ 2022માં મેઘરજના બૈજ વિસ્તારના જંગલમાંથી એક બાળકીની લાશ મળી આવી હતી. આરોપી કિરણ મનોહરભાઈ ભગોરાએ યુવતીની હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દીધી હતી, આ અંગે મેઘરજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ કરી હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આ કેસની સુનાવણી મોડાસા નામદાર જિલ્લા સેશન્સ કોર્ટમાં ચાલી હતી અને આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.