દિલ્હી; સુપ્રીમ કોર્ટ આજે રાહુલ ગાંધીની અરજી પર મોદી સરનેમ માનહાનિ કેસની સુનાવણી કરશે. રાહુલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. SCમાં પિટિશન દાખલ કરીને રાહુલ ગાંધીએ ગુજરાત HCના નિર્ણય પર સ્ટે મૂકવાની માંગ કરી છે. તેણે આ કેસમાં દોષિત ઠેરવવાના આદેશ પર સ્ટે મૂકવાની માંગ કરી છે. નીચલી કોર્ટ અને હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં તેણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુરતની કોર્ટે રાહુલ ગાંધીને મોદી સરના નામને લઈને કરેલી ટિપ્પણી બદલ 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ તેમની લોકસભાની સદસ્યતા જતી રહી હતી. આ સાથે તેણે પોતાનું સત્તાવાર નિવાસસ્થાન પણ ખાલી કરવું પડ્યું હતું. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને ‘મોદી અટક’ ટિપ્પણી બદલ સુરતની કોર્ટે આપેલી સજાને યથાવત રાખી હતી. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને વાહિયાત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, લલિત મોદી, નીરવ મોદી, નરેન્દ્ર મોદી તમામની સરનેમ છે. બધા ચોરોના નામે મોદી કેમ? જે બાદ ગુજરાતના ધારાસભ્ય અને હાલમાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.