રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના 547 ગામોમાં જંત્રી અનામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે મામલતદાર અને ડેપ્યુટી રજીસ્ટ્રાર દ્વારા પ્રથમ બે પોઈન્ટમાં ક્રોસ વેરીફીકેશન પણ પૂર્ણ કરવામાં આવેલ છે. હાલમાં જિલ્લાના 547 ગામોમાં જંત્રી અનામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
તેનું ક્રોસ વેરિફિકેશન પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ફાઈનલ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. એક સપ્તાહ બાદ આ અંગેનો અહેવાલ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગને સુપરત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 15 એપ્રિલ 2023થી જંત્રીના દરો બમણા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના જંત્રી અનામતના આદેશને પગલે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ 15 મેથી જિલ્લાના 11 તાલુકાઓમાં જંત્રી સુધારણાની કામગીરી શરૂ કરી હતી.
જંત્રી અનામત માટે 300 જેટલા કર્મચારીઓ કામે લાગ્યા હતા, જેમાં જિલ્લાના 11 તાલુકાના 547 ગામોમાં જંત્રી અનામતની કામગીરી પૂર્ણ થયા બાદ પ્રાંત અધિકારી દ્વારા આ અંગે ક્રોસ વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે. હવે જિલ્લાની 6 નગરપાલિકા અને ત્યારબાદ રૂડા અને જંત્રી અનામતના 54 ગામોની કામગીરી મ્યુ.કોર્પો.માં કરવામાં આવશે.