રાધનપુર તાલુકાના કરસરનગર ગામે ડેન્ગ્યુથી એક યુવાનનું મોત થતા સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. યુવકના મોત અંગે ગ્રામ્ય આરોગ્ય ટીમ દ્વારા ગામમાં સર્વે કરવામાં આવ્યો છે. રાધનપુર તાલુકાના કરશનગઢ ગામે ડેન્ગ્યુના કારણે યુવકનું મોત નિપજતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રાધનપુર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરશનગઢ ગામમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ અંગે મેડિકલ ઓફિસર નરેશભાઈ ગર્ગે જણાવ્યું હતું કે કરશનગઢ ગામમાં સર્વે કરાયેલા 400 થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં તાવના 5 કેસ નોંધાયા છે. સમગ્ર ગામમાં 5 થી વધુ ટીમો કામ કરી રહી છે. આ સાથે તમામ ઘરોમાં ફોગીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.