મધ્યપ્રદેશના ઉજ્જૈનના મકદોનમાં સરદાર પટેલની પ્રતિમા તોડવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આજે પાલનપુરમાં સરદાર પટેલ સેવાદળે કલેકટરને આવેદનપત્ર આપી અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
રાષ્ટ્રીય એકતાના પ્રતિક અને અખંડ ભારતના નિર્માતા સરદાર પટેલની પ્રતિમાને મધ્યપ્રદેશના ઉજ્જૈનના માકડોનમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઉખાડીને બાળી નાખવામાં આવી છે. આ ઘટનાની ઊંડી અસર થઈ છે. સરદાર પટેલના અપમાનને રાષ્ટ્રનું અપમાન ગણાવી બનાસકાંઠા સરદાર પટેલ સેવાદળ વતી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓને પકડીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા કરવાની માંગણી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય એકતાના પ્રતિક અને અખંડ ભારતના નિર્માતા સરદાર પટેલની પ્રતિમાને મધ્યપ્રદેશના ઉજ્જૈનના માકડોનમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઉખાડીને બાળી નાખવામાં આવી છે. આ ઘટનાની ઊંડી અસર થઈ છે. સરદાર પટેલના અપમાનને રાષ્ટ્રનું અપમાન ગણાવી બનાસકાંઠા સરદાર પટેલ સેવાદળ વતી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓને પકડીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા કરવાની માંગણી કરવામાં આવી હતી.